________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૪
તેની દશા થવાથી તે કર્મયોગીના સત્યપદને પ્રાપ્ત કરી શકે છે. અર્થાત તે સત્યકર્મયોગી બની શકે છે. વસ્તુતઃ કથ્ય સારાંશ એ છે કે બ્રધ્ધદષ્ટિથી આત્મજ્ઞાની સત્ય કર્મયોગી બની શકે છે. તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતે છતે પણ અકર્તા છે, મુક્ત છે, સુખી છે. બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીઓને કર્મપ્રવૃત્તિ છતાં અકિયતા છે. એમ અનુભવજ્ઞાન થતાં જ્ઞાનીઓને તે સહજે અવાધાય છે. મુને, અજ્ઞાનીઓને જે પ્રવૃત્તિ બંધનાથે થાય છે તેજ પ્રવૃત્તિ-કર્મો ખરેખર આત્મજ્ઞાનીઓને બંધન માટે થતાં નથી. ઉલટું તેજ કર્મો, શાનીઓને સદગુણોથી મેક્ષાથે થાય છે. અજ્ઞાની અને જ્ઞાની એ બંનેની બાહ્ય શરીરાદિ પ્રવૃત્તિ તે એક સરખી દેખાય છે, પણ તે બન્નેના પરિણામની વિષમતાએ ભેદ છે. બાહ્યથી તેઓ કમમાં સરખા છતાં અન્તથી સરખા નથી. અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ તેના બંધનાર્થે થાય છે અને જ્ઞાનીની તે બાહ્યપ્રવૃત્તિ તેના મેક્ષા થાય છે તેમાં ચિત્તજકારણભૂત છે. અજ્ઞાની આસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે અને જ્ઞાની અનાસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે. બ્રાહ્મણદિ ચારે વર્ષોમાં અને ત્યાગીઓમાં જ્ઞાનીઓમાં અને અજ્ઞાનીઓમાં પ્રવૃત્તિનું સ્વરૂપ ઉપર્યુક્ત દષ્ટિએ અવધવું. જ્ઞાની અને અજ્ઞાની અને ક્ષત્રિય સાથે યુદ્ધ કરતા હોય પરંતુ તેમાં અજ્ઞાની ક્ષત્રિય કર્મથી બંધાય છે અને જ્ઞાની ક્ષત્રિય કર્મથી મૂકાય છે તેમાં અન્તરંગ પરિણામની મુખ્યતા અવધવી. જ્ઞાનીઓ જે જે અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃતિ કરે છે તેમાં અજ્ઞાનીઓની દ્રષ્ટિથી તે બંધાયેલા જેવા લાગે છે પરંતુ તેઓ અન્તથી અનાસક્ત હોવાથી નિબંધ રહે છે. અએવ જ્ઞાન અને અજ્ઞાન દશાનું સ્વરૂપ અવબોધ્યા વિના ઉપરઉપરથી કેઈપણ મનુષ્યની પ્રવૃત્તિથી કઈ જાતને અભિપ્રાય બાંધે તે પ્રભુમય જીવન દષ્ટિની અર્થાત્ બ્રાદષ્ટિની બહાર છે. જેનાગમાં, વેદોમાં, ઉપનિષદોમાં, પુરા
માં, બાઈબલમાં, કુરાનમાં, ધમ્મપાદ વગેરે ગૌતમબુદ્ધના ઉપદેશેમાંથી સાર એ નીકળે છે કે આત્મજ્ઞાન. અને જ્ઞાનગભિત વૈરાગ્યનું એટલું બધું બળ છે કે –ga Mળ યુનાન, નિર્ટ: મતે સુષ જે વડે કર્મો કરતે છતે પણ જ્ઞાની પુરૂષ નિર્લેપ શેભે છે-જ્ઞાનના
For Private And Personal Use Only