________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૯ દુનિયાની દષ્ટિ કરતાં ભિન્ન દષ્ટિ રહેવાથી પદાર્થો અને ઈન્દ્રિય એ બેને સદા નિર્લેપ સંબંધ રહેવાથી માયાસમુદ્રને ક્ષણવારમાં તરી શકાય છે. આમેન્નતિના શિખરે વિરાજમાન થવાને જડ અને ચેતન એ દ્રવ્યને બ્રહ્મદષ્ટિએ દેખતાં જે કે બને દ્રવ્યનું મૂલ સ્વરૂપ ફરી જતું નથી. તથાપિ આમેજતિની વાસ્તવિક કંચી હસ્તમાં પ્રાપ્ત થાય છે. સર્વેન્દ્રિય વિષયને અને સર્વ પદાર્થોને બ્રહ્મદષ્ટિથી અવલકવાથી તિભાવે રહેલા બ્રહ્મને આવિર્ભાવ થાય છે અને કર્તવ્ય કાર્યો પણ બ્રહ્મને આવિર્ભાવ કરવાને બ્રહ્મષ્ટિમાં નિમિત્તભૂત બને છે. સર્વદા સર્વથા બ્રહ્મદષ્ટિ ધારણ કરતાં અનેક વિક્ષેપ નડે છે. સર્વદા બ્રહ્મદષ્ટિ રાખીને કર્તવ્ય કાર્યો કરવાથી રાગદ્વેષની મલીનવૃત્તિને, આત્માને અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી. નામરૂપને મેહબ્રાતિને ક્ષય થવાની સાથે વાસ્તવિક બ્રહ્મદષ્ટિને પ્રાદુર્ભાવ થાય છે. પિપટની પેઠે બ્રહ્મષ્ટિને પ્રલાપ કરવા માત્રથી કંઈ બ્રહ્મદષ્ટિએ સર્વત્ર સર્વ કાર્યોને સર્વથા કરી શકાતાં નથી. નામરૂપમાં જ્યારે અહંવૃત્તિ થતી નથી અને નામરૂપની વૃત્તિથી સ્વસ્વરૂપ ભિન્ન ભાસે છે ત્યારે બ્રહ્મદષ્ટિના પ્રાદુર્ભાવની સાથે પરમગીઓની કર્તવ્ય કાર્ય કરવાની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેનાથી અવબોધાય છે એવી દષ્ટિને બ્રહ્મદષ્ટિ કથવામાં આવે છે. બ્રહ્મદષ્ટિથી અવલેતાં આનન્દ વિના અન્ય કશું કંઈ અનુભવાતું નથી. તથાપિ કર્તવ્ય કાર્યોને કરવામાં અધિકારને લેપ કરી શકાતું નથી. બ્રહ્મદષ્ટિને પ્રાદુર્ભાવ થવાની સાથે નિવિષકદષ્ટિ બને છે અને સર્વ જીવોના શુદ્ધરૂપની સાથે આત્માને તાર જોડાય છે તથા કર્માદિક દેની ઉપેક્ષા થવાની સાથે સર્વત્ર નિરભાવ ઝળકી ઉઠે છે. તથા સ્વાત્માવત સર્વ જી પર પ્રિયભાવ પ્રકટી શકે છે. તેથી કષાયરસની પ્રતિક્ષણ ઘણું ક્ષીણતા થતી જાય છે. બ્રહ્મદષ્ટિથી સર્વત્ર અવલેતાં કષાય અને નેકષાયની મન્દતા પ્રતિક્ષણ થતી જાય છે, અને સર્વત્ર જાણે બ્રહ્મવિલસી રહ્યું હોય એ અનુભવ થાય છે. તેની સાથે કર્તવ્ય પ્રવૃત્તિ પણ કાયાદિક થયા કરે છે. બ્રહ્મષ્ટિની પ્રબળતાથી ઉદય આવનાર કષાને પ્રવૃત્તિ કરતાં હઠાવી શકાય છે.
For Private And Personal Use Only