SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગતઃ આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિને સેવતાં કર્મરસથી નિર્લેપ દશા રહે છે. આપાગી શુભાશુભ પ્રારબ્ધ વેદનીયને ભેગવતે જીતે કાયાદિકને પરેપકાર કાર્યોમાં વાપરીને આત્મપ્રગતિ કરી શકે છે. પરોપકાર કરવાની પ્રવૃત્તિને સેવવી જોઈએ અને એ પ્રવૃત્તિયાગ ધારણ કરવું જોઈએ, તેની કેઈનાથી ના પાડી શકાય તેમ નથી. ૫રેપકાર કાર્યો એ આવશ્યક કર્તવ્ય છે. પરોપકારક આવશ્યક કાર્યો કરવાની નિજફરજને સ્વાધિકારે કરવામાં શુષ્ક જ્ઞાનને આગળ કરી નિષ્કિય બનવાથી આત્મપ્રગતિ થઈ શકે તેમ નથી. અએવ જ્ઞાનીઓએ પરોપકારાદિ આવશ્યક કર્તવ્ય કરવાની નિજફરજને આપાગત કરવી જોઈએ. આવશ્યકપરોપકારાદિ કર્તવ્ય કાર્યો કરવામાં મન, વચન અને કાયાની ચેગશક્તિ વાપરવાથી આત્મપ્રગતિમાં પશ્ચાત પડાતું નથી એમ અનુભવજ્ઞાને સમ્યમ્ અવબોધાય છે અને કર્તવ્ય પરાયણ થઈ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનપૂર્વક જેની ક્રિયા છે એવા કમગીને રાગાદિકના અભાવપૂર્વક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કર્મબન્ધ થતું નથી. જ્ઞાનપૂર્વક પ્રત્યેક આવશ્યક કાર્યોની કિયાએ કરવાની જરૂર છે. જ્ઞાન શ્વાષ્ટ્રવારમાં, વારે વારે નારા જ્ઞાનપૂર્વક પ્રત્યેક કિયાથી ઉત્તમ ફલની પ્રાપ્તિ થાય છે. શાનાwાં મોક્ષ: જ્ઞાન અને કિયાવડે મેક્ષ છે. જ્ઞાની સાંસારિક, ધાર્મિક બાબતોમાં જ્ઞાનપૂર્વક ક્રિયાબળથી સાંસારિક પ્રગતિ અને ધાર્મિક પ્રગતિ પૂર્વક અનેક દુઃખોથી મુક્ત થઈ શકે છે. જ્ઞાન વિના કઈ ક્રિયા કરવી તેની સમજણ પડતી નથી. જ્ઞાની પાસે કિયા હોય છે. અજ્ઞાનીઓથી વસ્તુતઃ ક્રિયાનું ખરૂં સ્વરૂપ અવબોધી શકાતું નથી. જેની પાસે જ્ઞાનબલ હેય છે તેને વ્યવહારમાં અને ધર્મમાં જ્ય થાય છે. જેની પાસે જ્ઞાનબળ હોય છે તેનું સર્વત્ર વિશ્વમાં સત્તા સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્ઞાનબળ વિનાના જંગલી મનુષ્ય સુધરેલા જમાનામાં તેમની અસલની પ્રવર્તતી કિયાથી પરતંત્ર બન્ધનમાંથી મુક્ત થઈ શકતા નથી. તેની આગળ તીરકામઠાંની યુદ્ધકિયા કદાપિ નભી શકે નહિ, તેમજ છાપેલાં પુસ્તકથી જે જમાનામાં અભ્યાસબળની પ્રગતિ થઈ રહી છે તે જમાનામાં લખેલાં પુસ્તકેવડે. અભ્યાસ કરીને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy