________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરાદિકના મમત્વના ત્યાગ પૂર્વક પરસ્પરોપગ્રહદષ્ટિએજ યા કર્તવ્યદષ્ટિએ આવશ્યક કાર્ય કરતાં દેહમમત્વાદિ અનેક વાસનાઓને લાત મારી પગ તળે કચરી નાખતા હતા. અષભાદિક વીશ તીર્થકરના વંશજે જે ખરી રીતે આત્માને નિત્ય માની નામરૂપની માયાથી ભિન્નપણું ધારી આત્મપ્રગતિમાં અખંડપણે અપ્રમત્ત રહ્યા હતા તે તેઓની આ દશા થાત નહિ. આત્માને નિત્ય માનનારી અને શ્રદ્ધા કરનારી આર્યસંતતિ ખરેખર આ વિશ્વમાં સર્વથા સર્વદા આત્મ પ્રગતિમાં વ્યવહારથી અને નિશ્ચયથી આગળ રહે છે અને તે કર્તવ્ય કર્મ કરવામાં કઈ રીતે પ્રાણ સમર્પણ કરીને પશ્ચાત્ પડતી નથી. આત્માને દ્રવ્ય– નિત્ય માનનારા જેનો જે વાસ્તવિક રીતે આત્માનું નિત્ય સ્વરૂપ અવધી વ્યવહાર કર્તવ્ય કાર્યમાં પ્રવર્યા હતા તે તેઓની દેહાદિકમમત્વવાસનાયેગે પતિત દશા થઈ તે થાત નહિ અને પૂર્વજેની વ્યાવહારિક ઉચ્ચ પદવીઓ પર તેઓ કાયમ રહી શક્યા હોત. શબ્દથી આત્માને અંધપરંપરાએ નિત્ય માનવાથી આત્માની ઉન્નતિ થતી નથી, પરંતુ વસ્તુતઃ આત્માની નિત્યતા અવધવાથી પુણ્ય અને પાપનું પરભવમાં ભકતૃત્વ અને કતૃત્વ સિદ્ધ થાય છે અને તેથી નીતિના નિયમોની આવશ્યક્તા પણ સિદ્ધ કરે છે. આત્માને નિત્ય માનનારી આર્યપ્રજા જે આત્માનું નાસ્તિત્વ માનનારી પ્રજા કરતાં આત્મભેગ, પ્રાણસમર્પણ અને કર્તવ્ય કાર્યમાં પશ્ચત રહે તે એમ માનવું કે વસ્તુતઃ તે આત્માને અંતઃકરણથી નિત્ય માનનારી પ્રજા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યોને કર્તવ્ય કર્મફલને પરભવમાં વિશ્વાસ રહે છે. તેથી આ ભવમાં કર્તવ્ય કર્મ કરવામાં દેહને જવપરપોટાની પેઠે ત્યાગ થાય છે તેમ કરવામાં તેઓ જરા માત્ર આંચકે ખાતા નથી. જે મનુષ્ય કર્તવ્ય કાર્યમાં દેડ પ્રાણને નાશ કરવામાં આંચકો ખાય છે તેઓના વંશના મનુ આ વિશ્વમાં ધર્મમાર્ગમાં અને વ્યવહારમાર્ગમાં દાસત્વકેટીમાં પડી જીવી શકે છે. માતા-અવત્તિ-ભીતિ વગેરે મેહની દાસીઓ છે તેના તાબામાં આવે છે તેઓ આત્માનું નિત્યત્વ વિસારીને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં મમત્વને કરી અને તેઓ દાસીની પ્રજામાં ખપે છે અને પોતાની
For Private And Personal Use Only