SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ જ્ઞાની સ્વાત્માને અસ્તિધર્મની અપેક્ષાએ સર્વસંગત માને છે. જ્ઞાનવર્ડ આત્મા સર્વત્ર જ્ઞેય પદાર્થોના જ્ઞાન અને કંચિત્ જ્ઞેયની અભેદ રણુતિએ વ્યાપક હોવાથી સર્વત્ર છે અને વ્યક્તિની અપેક્ષાએ સર્વત્ર નથી. જ્ઞાની પોતાના આત્માને બાહ્યથી સંગી છતાં વસ્તુતઃ અન્તર્થી નિઃસગ માને છે. તે સર્વ માહ્ય પ્રવૃત્તિના અધિકારથી મુક્ત છે, છતાં તેની બાહ્ય પ્રવૃત્તિથી અનન્તગુણા ઉપકાર થાય છે; એવું પૂર્વે નિવેદવામાં આવ્યું જેથી એમ અવોધવું કે જ્ઞાની નિબંધ અને સર્વસગમુક્ત છતાં માહ્ય જીવેાના ઉપકારે અને પ્રારબ્ધયેાગે પ્રવૃત્તિ આદરીને તે ષ્ટિમિહર્ અકલિત એવા ઉપકાર કરવાને શક્તિમાન્ થાય છે. આત્મજ્ઞાની શાતાવેદનીય અને અશાતાવેદનીય સમાન માનીને તથા સ્તુતિકારક અને નિન્દક એ એમાં સમભાવ ધારણ કરીને તેને ચાગ્ય કાર્ય તે કર્યાં કરે છે. આત્મજ્ઞાની ઉપર્યુક્તભાવ પ્રમાણે આત્મદશામાં મસ્ત બનીને બાહ્ય વ્યાવહારિક કર્તવ્યકાર્યાને પ્રારબ્ધાદિક ચાગે કર્યા કરે છે. આત્મજ્ઞાનીની આન્તરિક દશા ઉપર પ્રમાણે થવાથી તે માહ્ય કાર્ચીને કરે છે છતાં તે બાહ્ય કાર્યના તેના આત્માની સાથે સ`ખ ધ રહેતા નથી. આત્મજ્ઞાની શુષ્ક માટીના ગાળા જેવા હાવાથી તેને બાહ્ય કર્તવ્ય કાર્યાં કરતાં કાઇ પણ નિમિત્તવડે લેપાવાનું થતું નથી-ચીકા અને આદ્ર માટીના ગોળા ખરેખર ભીંતસામેા પછાડવાથી ભીંતની સાથે તેના કેટલાક ભાગ ચાંટી રહે છે; પરંતુ શુષ્ક મૃત્તિકાગાળા ચાંટી રહેતા નથી એવા સર્વ મનુષ્યને અનુભવ છે, તેથી તે દૃષ્ટાન્ત પૂર્વક આત્મજ્ઞાનીની દશા અવએધાવતાં કોઈ જાતના સાપેક્ષષ્ટિએ વિરાધ આવતા નથી. આત્મજ્ઞાની બાહ્યમાં શુભાશુભ કલ્પનાને નહિ માનતા હોવાથી તે શુભાશુભ પરિણામથી ન બંધાતાં બાહ્ય કર્તવ્ય કાર્યાં કરવાના અધિકારી અની વિશ્વજીવાના સંબંધમાં આવી વિશ્વજીવાના તારક અની શકે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. સ્તોતા અને નિર્દેકપર જેના સમાન ભાવ છેએવા આત્મજ્ઞાની આહ્ય કર્તવ્ય કાને કરતા છતા અન્ય મનુષ્યાના સ`સગથી લેપાતા નથી; તેથી તેજ ખરેખરા કર્તવ્ય કાર્ય કરવાને અધિકારી બને છે. સ્તાતાપર હર્ષ અને નિન્દકપર દ્વેષ થયા વિના ન રહે એવા ખાલ મનુષ્યની દશા હોય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy