________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક જાતની બ્રાતિ છે. ભૂતેનું શરીર બનેલું છે, તેથી તે હણાય છે અને બળીને ભસ્મીભૂત થઈ શકે છે, પરંતુ આત્મા તે નિત્ય હોવાથી તે કદાપિ હણાતું નથી અને બળતું નથી એમ શુદ્ધ નૈઐયિક દષ્ટિએ આત્મજ્ઞાની અવબોધતા અને અનુભવતા હોવાથી તે શરીર છતાં શરીરથી ભિન્ન પિતાને માની શકે છે અને અગ્નિ - સ્ત્રાદિથી શરીરને નાશ થતાં પિતાને નિત્ય માની સમભાવ અને જૈન દેહભાવને ધારણ કરી આત્મજ્ઞાનમાં મસ્ત રહી શકે છે. આત્માને દેહ ભિન્ન નિત્યરૂપ અનુભવનાર આત્મજ્ઞાની બાહ્ય કાર્યોને કરતે છતે તે પિતાને કર્તારૂપ માનતું નથી. બાહાકાર્યો ખરેખર કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોથી થાય છે, તેમાં પિતાને કર્તાના અભિમાનથી તે યુક્ત કરીને કતૃત્વજાતિથી પિતાના આત્માને કર્મથી બાંધતે નથી. તેણે સિદુ છે, શનિ - પણ ૩વમ; ટચ થશgrg, નિશ્ચ શિર શ્રેમ, ઈત્યાદિથી આત્મજ્ઞાની જે જે કરે છે, દેખે છે. બેલે છે, આદિ જે જે પ્રવૃત્તિ કરે છે તેમાં તે અહંત્રાદિથી બંધાતું નથી અને કર્તવ્યકાર્યો કરવામાં અન્ય મનુષ્ય કરતાં પાછો પડતું નથી અને તેમજ નિશ્ચયજ્ઞાનમાં તે સ્થિર સ્તંભના સમાન સ્થિરતાથી વર્તે છે. આવી તેની આશ્ચર્યકારી દશાને અલખલીલા કહેવામાં આવે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેઓની બાહ્ય કર્તવ્યપ્રવૃત્તિ અને તેઓની આન્તર પ્રવૃત્તિ એ બે શુષ્ક નાલિકેર અને તેમાં રહેલા જલની દશાની ભિનતાને ભજે છે. આત્મજ્ઞાનિની બાહ્ય પ્રવૃત્તિ પ્રારબ્ધધારે-પ્રાસંગિક ઉપકારક તથા અનેક શુભાશયથી ભરપૂર હોય છે. તેમની બાહ્ય પ્રવત્તિથી તેમના આત્માની દશા કેવી છે? તેની કલ્પના કરવી તે અજ્ઞાનીઓની દષ્ટિ બહાર છે, તેથી તેવા આત્મજ્ઞાનિની કર્તવ્યપ્રવૃત્તિમાંથી અનેક શુભાશયે પૂર્વક સાર ગ્રહે તેજ ભવ્ય મનુષ્યને હિતકારક છે. આત્મજ્ઞાની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિને પોતે કૃતકૃત્ય છતાં અને સ્વાર્થ–પ્રજનાદિને અભાવ છતાં આદરે છે. તે જે કંઈ કરે છે તે ઉપરથી તેના આત્માની દશાને ભાવ લે એ કલ્પનાશક્તિની બહારની વાત છે. સંગ્રહનયની અપેક્ષાએ જ્ઞાની આત્માને મુક્ત માને છે.
For Private And Personal Use Only