________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ વિના જીવીજ શી રીતે શકે ! જગતમાં જ્યાં દેખે, ત્યાં જડ વા ચેતન એ બે કિયાગ વિના હોઈ શકતા નથી એવું સ્વયમેવ સિદ્ધ છે. સર્વ ને સ્વસ્વપ્રાણની રક્ષા પુષ્ટિ અર્થે આહારાદિગ્રહણની ક્રિયા કરવી પડે છે અને તે ક્રિયા કર્યા વિના કદાપિ તેમને છૂટકે તે નથી. જગતમાં ધર્મનું વા કર્મનું અસ્તિત્વ ખરેખર કિયા વિના રહી શકતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણનું અસ્તિત્વ કિયાથી વર્તે છે. ત્યાગી અને રાગીનું અસ્તિત્વ પણ કિયા વિના રહી શકતું નથી. કોઈ પણ પ્રકારની ક્રિયા કર્યા વિના જીવ રહી શકતું નથી. જે જે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા જે કાલમાં જીવને હોય છે તે કુદતના નિયમ પ્રમાણે થયા વિના રહેતી નથી. માતાના ઉદરમાં તુર્ત જન્મેલું બાળક પોતાની માતાના સ્તનને તુર્ત ધાવવાની ક્રિયા કરે છે અને તેનાં શરીરનાં અંગે ઉદરમાં પ્રવેશેલા દુધનું ભિન્ન ભિન્ન સ્વરૂપ કરવાને સ્વસ્વ ક્રિયા કરવામાં પ્રત્યેક અવય એક ક્ષણ માત્ર પણ વિશ્રાન્તિ લેતાં નથી. શરીરમાં રહેલા સર્વ અવય સ્વસ્વ ક્રિયા કરવામાં સદા તત્પર રહે છે. હસ્ત, હસ્તનું કાર્ય કરે છે. ફેફસાં પિતાનું કાર્ય સદા કરે છે, નીઓ સ્વકાર્યમાં મહા નદીઓની ગતિ પ્રમાણે વહ્યા કરે છે અને તેથી તેઓ જીવી શકે છે, ઈત્યાદિ અનેક પ્રત્યક્ષ દષ્ટાન્ત જયાં ત્યાં સર્વત્ર અવલોકી શકાય છે. જેને નિષ્ક્રિય જેવી અવસ્થાવાળા પદાર્થો લેખીએ છીએ તેવા પદાર્થોમાં પણ સૂક્ષ્મ દષ્ટિથી અવલોકવામાં આવે તે કોઈ પણ જાતની તેઓમાં કિયા પ્રવર્યા કરે છે એમ અવબોધાશેજ, જીવમાં અને અજીવમાં સકિયત્વ ધર્મ રહ્યા છે અને તેથી છવાદિ પદાર્થો સ્વસ્વ ધર્મની કિયા એ સમયે સમયે કર્યા કરે છે. કેઈ પણ મનુષ્ય કઈ પણ પ્રકારન કર્યા વિના રહી શકતું નથી, અતએ જ્ઞાનગદ્વારા વસ્તુઓનું સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત પણ સ્વબાહ્ય જીવન અને સ્વઆન્તર જીવનનું અસ્તિત્વવૃદ્ધિ અને તેની સંરક્ષણાર્થે ક્રિયાગ કરવાની તે ખાસ જરૂર રહે છે એમ પ્રત્યેક મનુષ્યને અનુભવ પૂર્વક અવાધાયા વિના તે નહિ રહે. સ્વજીવનબલની રક્ષા કરવા માટે કિયાની આવશ્યકતા સિદ્ધ કરે છે. જે જે ક્રિયાઓ જે જે જીવને
For Private And Personal Use Only