________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૯ મુખ્યદેશ છે એમ ધ્યાનમાં રાખીને આત્મોન્નતિ થાય અને વિશ્વકુટુંબી જીવે પરસ્પર હળીમળીને એક બીજાની ઉન્નતિમાં ભાગ લે એવી દષ્ટિથી ઉપર્યુક્ત બ્લેક ર છે. આમેન્નતિહાનિકારક, આમન્નતિનાશકારક બળની સામા ટકીને આત્મોન્નતિ કરાય એવું કર્તવ્યકર્મ ખરેખર આત્માએ કરવું જોઈએ.
અવતરણ –કર્મયુગપ્રવૃત્તિમાં અબદ્ધ આત્મા કેવી રીતે રહી શકે છે તે દર્શાવે છે – परात्मानं हदि स्मृत्वा, प्राप्तकर्मप्रसेवनात । बद्धो भवति नैवात्मा, निर्लेपपरिणामभाक् ॥ ७८॥ नष्टा शुभाशुभा वृत्ति-र्यस्य ध्यानप्रभावतः। अकर्मा कर्मकर्ताऽपि, भोगी भोक्तापि नैव सः ॥७९॥
શબ્દાર્થ પરમાત્માને હૃદયમાં મરીને પ્રાપ્તકર્મ સેવનથી નિર્મલ પરિણામભા એ આત્મા સંસારમાં બંધાતો નથી. જેની ધ્યાનપ્રભાવથી શુભાશુભવૃત્તિ નષ્ટ થએલી છે તે કર્મ કરતાં છતાં પણ અકર્મા છે અને ભક્તા છતાં પણ અભેગી છે.
વિવેચન –જેના આત્મામાં પરમાત્મા ધ્યેય તરીકે વિરાજે છે તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી અન્તરમાં નિર્લેપ રહી શકે છે. રાગદ્વેષની વૃત્તિ ખરેખર હૃદયમાં ન હોય અને અધિકાર પ્રાપ્ત થએલ કર્તવ્યકર્મને કરવો પડે તેથી આત્મા બંધાતું નથી. આન્તર નિર્મલ પરિણતિ છતાં જે આત્મ બંધાતે હેય તે કઈ આત્મા મુક્ત થઈ શકે નહિ. રાગદ્વેષની ચીકાશથી કર્મ બંધાય છે. રાગદ્વેષની ચિકાશ ટળતાં નિર્મલ પરિણામ થાય છે અને તેથી સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધાદિ વર્ણને મનુષ્ય, સંસારમાં બધાને નથી. ભારત અને બાહુબલીએ ક્ષત્રિયના અધિકાર પ્રમાણે ક્ષાત્રકર્મની પ્રવૃત્તિ સેવી અને તેઓ પરમાત્માને હૃદયમાં સ્મરી નિર્મલ પરિણામથી મુક્ત થયા. અજ્ઞાની અને જ્ઞાની અને પ્રાપ્તકર્મનું પ્રસેવન કરે છે, પરંતુ તેમાં શુભાશુભ ભાવની કલ્પના કરીને અજ્ઞાની બંધાય છે અને શુભાશુભ કલપનાની પેલી પાર સ્વાત્મામાં
૮ર
For Private And Personal Use Only