________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦ વિચરીને જ્ઞાની આ વિશ્વમાં કર્તવ્ય કર્મને કરતે ક્લે બધાને નથી. લૈકિક વ્યવહારે આવશ્યક કર્તવ્યને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના ગુણકર્માનુસારે કરવાં પડે છે અને તે કર્યા વિના કેઈને વ્યવહારદશાના
સ્વાધિકાર છૂટકે થતું નથી. પરંતુ તેમાં આત્મજ્ઞાનથી નિર્મલ પરિણામ ધારણ કરવાપૂર્વક પ્રવૃત્તિ થાય છે તે સમ્યક્ત્વ દષ્ટિની સ્થિતિએ આ મા બંધાતું નથી. શુભાશુભ પરિણામની દષ્ટિનું મુખ્ય કારણ ખરેખર બાહ્ય પદાર્થોમાં થએલી શુભાશુભ કલ્પના છે. આત્મજ્ઞાનથી કર્તવ્યકર્મોમાં શુભાશુભ કલ્પના જ્યારે નથી થતી ત્યારે શુભાશુભ કાર્યોથી સ્વાત્મા બંધાતું નથી. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષભાવની કલ્પના ઉઠે છે. તેમજ શુભાશુભ કર્મથી બંધાવાનું થાય છે. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષની પરિણતિ વિના આવશ્યક કર્તવ્ય કર્મોને કરતાં બંધાવાનું થતું નથી એવું અવબોધીને જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કરવાના સ્વાધિકારને અદા કરે છે. શ્રી તીર્થંકરમહારાજને પણ સ્વાધિકારે દેશના વિહારાદિ આવશ્યક કર્તવ્ય કર્મો કરવાં પડે છે, તે અન્ય સામાન્ય મનુષ્યને સ્વાધિકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં પડે એમાં કંઈ કહેવાનું રહેતું નથી. આવશ્યક કર્તવ્યને અવસ્થાના અધિકાર પ્રમાણે કરવાં પડે છે પરંતુ તેમાં વિશેષ એટલું છે કે કેઈપણ કર્તવ્ય કાર્ય કરતાં પરમાત્મા, પરમબ્રહ્મ, પુરૂષોત્તમ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કે ઈપણ આત્માના ગુણેનું ઘાત કરનાર કર્મ લાગી શકતું નથી. સ્વાધિકારે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકર્મ કરતાં કદિ ભય પામ નહિ અને અશ્રદ્ધા ધારણ કરીને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજા ચઢી આવ્યું તે વખતે બારવ્રતધારી કુમારપાલે હાથીની અંબાડી ઉપર બેસીને યુદ્ધ કર્યું પણ ક્ષાત્રકર્મની પ્રવૃત્તિથી પરખ થયે નહિ. ક્ષાત્રકર્મદશાના અધિકાર પ્રમાણે દેશ, ધર્મ, પ્રજા, ગે, બ્રાહ્મણ, સન્ત, સાધુના રક્ષણ માટે ક્ષત્રિએ યુદ્ધ કરવું જોઈએ અને નિર્મલ પરિણામવાળા થઈને હદયમાં પરમાત્માને મરી અન્તથી શુભાશુભ પરિણામથી ન્યારા રહેવું જોઈએ પરંતુ યુદ્ધાદિ ક્ષાત્રકર્મપ્રવૃત્તિથી પરખ ન થવું જોઈએ એમ
For Private And Personal Use Only