________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વયે અધિકાર ભેદે કર્તવ્યકિયાઓમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરી શકે છે અને તેથી તે વિશ્વશાળામાં કર્મવેગને ખરેખરો અનુભવ મેળવી પ્રગતિમાન બની શકે છે. અવસ્થા, વય, જ્ઞાન, ઈચ્છા, શક્તિ આદિથી કર્તવ્યકર્મ કિયાઓના ભેદમાં પરિવર્તન થયા કરે છે અને તેથી મનુષ્ય ગ્નતિનાં અવસ્થાભેદે કાર્યો બદલવાને શક્તિમાન ખરેખર ક્ષેત્રકાલાદિ વેગે બની શકે છે. બહુરૂપી જે વખતે જે વેષ ધારણ કરે છે તે વખતે તે પાત્રની ક્રિયા કરે છે. જે તે અશ્વ બને છે તે તેના અધિકાર પ્રમાણે અશ્વ ગ્ય ક્રિયાઓને સેવે છે અને જે તે સિંહ બને છે તે સિંહ ચગ્ય પ્રવૃત્તિને આચરે છે. જે તે સતી અને છે તે સતીના સ્વાધિકાર ચિતામાં પ્રવેશ કરી ભસ્મીભૂત થવાની પ્રવૃત્તિને પણ સેવે છે. વિદ્યાર્થી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વામી અવસ્થા, સેવક અવસ્થા, ભેગી અવસ્થા ત્યાગીઆવ
સ્થા, ગૃહાવસ્થા, ત્યાગાશ્રમાવસ્થા વગેરે અનેક પ્રકારની અવસ્થાઓમાં ભિન્ન ભિન્ન આવશ્યક કર્તવ્યકર્મોની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જે અવસ્થામાં જે કાર્ય કરવાનો અધિકાર હોય તેનાથી ભિન્ન પ્રવત્તિને સેવવાથી સ્વને અને સમાજને અનેક પ્રકારની હાનિ થાય છે. જે ક્રિયા કરવાને પિતાને અધિકાર ન સમજાત હોય અને તેમાં પિતાની યોગ્યતા ન હોય તે ક્રિયાને ન કરવી જોઈએ. જે. બાલક પરણવાને હેતુ શું છે તેને પણ સમજે નહિ તેણે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત ન થવું જોઈએ. સર્વ ક્રિયાઓમાં જ્ઞાન, યોગ્યતા, અવસ્થા અને શક્તિ વિના પરતંત્ર બની પ્રવર્તવાથી દેશ, સમાજ અને સંગ ઘની પરતંત્રતા કરવામાં આત્મહિસ્સો આપી શકાય છે અને તેથી પરિણામે ખરેખર દેશ, સમાજ, સંઘની પરતંત્રતા થાય છે. દેશને એક મનુષ્ય અને સમાજને એક મનુષ્ય જે દેશ, કાલ, દ્રવ્ય, ભાવથી ભિન્ન અધિકારવાળી કાર્યની ક્રિયાને કરે છે તો તેની તે પ્રવૃત્તિથી સમાજને અને દેશને હાનિ થાય છે. અએવ મનુષ્યોએ સ્વાધિકાર એગ્ય પ્રત્યેક મનુષ્યકર્તવ્ય કાર્યની ક્રિયાને કરે એવી ગુરૂકુલાદિ દ્વારા કેળવણું આપવી જોઈએ. સમાજે, સંઘે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર ભિન્ન કાર્ય ન કરે એ બંધ આપ જોઈએ.
કે
For Private And Personal Use Only