________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮ વિરોધ, વિરાજિય: ૧૧ / બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈ શદ્ર અને ત્યાગીએ સર્વે સ્વસ્વ ધર્મવડે શ્રેષ્ઠ છે અને પરધર્મે તેવા શ્રેષ્ઠ નથી. અધિકારી વશથી બંધ છે અને અધિકારી વશથી ક્રિયાઓ છે. સ્વકર્તવ્ય પ્રવૃત્તિઓ પ્રત્યેક મનુષ્યને વ્યાવહારિક ચારિત્રધર્મ છે. જેને જે અધિકાર હોય તેને તે બધા દેવું જોઈએ અને જેને જેવી ક્રિયા કરવાગ્ય હોય તેને તેવી ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મ પ્રમાણે કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને ધર્મની તે સાથે આરાધના કરવી જોઈએ. ક્ષત્રિયે-પૃથ્વી, દેશ, સન્ત, સાધુ, બ્રાહ્મણ વગેરની રક્ષા કરવી જોઈએ અને તે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને સ્વધર્મ માની તેની શ્રેષ્ઠતાને ત્યાગ કરી અન્ય કર્મની ક્રિયાઓ ન કરવી જોઈએ. જેનામાં વેશ્યધર્મના ગુણકર્મો છે તેણે વિશ્યધર્મ કર્મપ્રવૃત્તિને સ્વીકારવી જોઈએ. શુ સ્વગુણકર્માનુસાર ધર્મ કર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ. ત્યાગીએ ત્યાગધર્મ કર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ અને આત્મ પ્રગતિ થાય તેવી ક્રિયાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. ક્રિયાઓ કે જે પિતાના અધિકાર પ્રમાણે કરવાચ્ય હેય તેઓને આદરવી જોઈએ પરંતુ જે કિયાએ સ્વાધિકાર પ્રમાણે નૈતિકારણ ન લાગતી હોય અને તેમાં રૂચિ ન પડતી હોય તેઓને ન કરવી જોઈએ. એટલું તે ખાસ યાદ રાખવું કે મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કર્મ ક્રિયા કરવાને અધિકારી છે તેથી તેને જે યોગ્ય લાગે તે કરી શકે અને સ્વાધિકારથી ભિન્ન જે અગ્ય લાગે તે ન કરી શકે. મનુષ્ય ખરેખર ક્રિયાને તાબે નથી પણ ક્રિયાઓ ખરેખર મનુષ્યના તાબે હોય છે તેથી તે પિતાની મરજી પ્રમાણે કર્તવ્યકિયાઓને સ્વાત્મપ્રગતિ માટે કરી શકે છે. તેમાં અન્ય મનુષ્યને તેની ટીકા કરવાને હક્ક નથી. ક્રિયાઓ કે જે ઉપયોગી હેય તે કરવી જોઈએ પરંતુ નકામા ફલ ન દેખાતું હોય અને આ ત્માની ઉન્નતિ ન થતી હોય તે અનાવશ્યક ક્રિયાઓમાં ગંધાઈ રહીને કિયાપરતંત્રજીવન ન કરવું જોઈએ. જ્ઞાનપૂર્વક કર્તવ્યકાર્ય ક્રિયાઓને સ્વવશમાં કરવી જોઈએ પરંતુ તેઓના વશમાં પિતે કાષ્ઠપુત્તલિકાવતું ન થવું જોઈએ. વય, શક્તિ, સંબંધ, પ્રજનાદિથી અમુક ક્રિયાને પિતાને અધિકાર છે કે નહિ તેની પિતાને સમજણ પડે છે. આવ
For Private And Personal Use Only