SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૫ એ છે કે કર્મયોગી વિચારેને જે આચારમાં મૂકી બતાવે છે તેજ તેને ખરેખર ઉપદેશ છે. દેહાધ્યાસના ઉત્સર્ગની પ્રવૃત્તિમાં સમરાદિત્ય, અવન્તી, ગજસુકુમાલ અને મહાબલની સ્મૃતિ માત્રથી તેઓના આત્માના સુવિચારેની પોતાના ઉપર અસર થાય છે એ કંઈ સામાન્ય કર્મયોગીપણું કહેવાય નહીં. મેવાડના રાણાપ્રતાપે અકબરના પુત્ર સલીમના સાથે અરવલીની ખીણમાં યુદ્ધ કર્યું તે વખતે પ્રતાપનું છત્ર પિતે મસ્તક પર ધારણ કરીને આત્મત્યાગ કરનારા ઝાલારાણના દેશભક્તિકર્તવ્ય કર્મગની ક્રિયાથી દેશભક્તિ પર ઝાલાનું માન છતાં જે અસર થાય છે તેવી અન્યથી થતી નથી. અત એવ કર્મયોગી મન રહેવા છતાં સ્વકર્તવ્યકર્મોને ઉપદેશ કરે છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર એગ્ય છે દુર્ગાદાસ રાઠેડ સ્વદેશભક્તિથી આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં ભીંતમાં ચણાય છે, પ્રસંગે બહાર નીકળે છે અને દેશ રક્ષાર્થ માથું મૂકીને કાર્ય કરે છે તેનું ચરિત્ર વાંચતાં વાંચકેનાં રૂંવાટાં ઉભા થાય છે તેથી તેની પ્રવૃત્તિથી વિશેષ ઉપદેશ અન્ય રીતે મળી શક્તા નથી. તેની કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી તેની આવશ્યક પ્રવૃત્તિયોને ઉપદેશ ખરેખર મનપણામાં સારી રીતે મળી શકે છે અને તેથી તેને ક્ષત્રિય પુરૂષે આદર્શ પુરૂષ માનીને તેના જેવું સ્વજીવન કરવા પ્રવૃત્તિ કરે છે. શેઠ મતિશાહે પાલીતાણ વગેરેમાં જિન મન્દિરે બાંધી સ્વકર્તવ્યકર્મોને ઉપદેશ દીધા વિના અન્યના હૃદયમાં ઉતારી દેઈ તેઓની જીવન પ્રગતિ કરી છે. અમદાવાદના શેઠ હેમાભાઈ અને હઠીસંગે પારમાર્થિક કાર્યો કરી મનપણે રહીને અન્યને સ્વકર્તવ્ય કાર્યોને ઉપદેશ આપે છે. સ્વ ગ્ય કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા કરવું એ એક જાતને ઉત્તમ અસર કરનાર મની ઉપદેશ અવધે. સ્વમન, વાણું અને કાયાની શક્તિને, ધનને, અન્નને અને સમયને પારમાર્થિક કાર્યોમાં ભેગ આપવો એ જગને અનન્તગુણે જીવતે ઉપદેશ આપવા જેવું કર્તવ્યકર્મ અવધવું. આત્માના ગુણેમાં મસ્ત રહેનાર જ્ઞાનયોગી ગુરૂઓ સ્વક્તવ્યમાં તત્પર રહે છે, તેઓની આગળ શિવે જાય છે અને તેઓના મનમાં જે જે સંશય પુછવાના હોય છે તે સ્વયમેવ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy