________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૨ પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ પ્રવૃત્તિ થતી હોય ત્યાં રગસીયા બળદ ગાડામાં બેસીને ચાલવાથી હવે અચેની સ્પર્ધા પ્રગતિમાં પ્રસ્થિતિ કરી શકવાની નથી, અતએવી પ્રવૃત્તિમાં મસ્ત કર્મયેગી બનવું જોઈએ; અને અન્ય જેઓ મૃતવિચારાચારના પૂજકે બન્યા છે તેઓના ટકટકારા તરફ ધ્યાન ન આપવું જોઈએ. કર્મયોગી બનીને આદર્શ પુરૂષ બને એટલે માન રહેવા છતાં જે કંઈ વાણદ્વારા ઉપદેશ આપવાનો હશે તે સ્વયમેવ અખિલ વિશ્વ ગ્રહણ કરશે. અશેક રાજા અને ચંદ્રગુપ્તની યાદી ખરેખર તેનાં કર્તવ્યકાર્યોથી થાય છે. લેટેની યાદી તેના ગ્રંથી થાય છે. એમર્સનની યાદી તેના વિચારેથી ભરેલાં પુસ્તકથી થાય છે અને તેથી તેમના કર્તવ્યનું મરણ કરીને વિશ્વમનુષ્યો કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરે છે. હનુમાને કર્મયોગી બની રામની સેવા બજાવી તેથી તે આદર્શ પુરૂષ બનીને પરોક્ષ દશામાં પણ મૂર્તિ દ્વારા જગને ઉપદેશ આપ્યા કરે છે. વ્યાસ તેના કર્તવ્ય કર્મોથી હિન્દુઓના પૂજ્ય હૃદયમાં ઈશ્વર તરીકે વિરાજે છે. પતિજલિ તેના ગ્રન્થાદિક કર્તવ્ય કાર્યોથી આર્યાવર્તમાં સર્વત્ર પ્રાતઃકાલમાં મરાય છે. શાકટાયન, ઉમાસ્વાતિવાચક, કુંદકુંદાચાર્ય, ભદ્રબાહ, દેવધિ ગણિ ક્ષમાશ્રમણ, ધનેશ્વરસૂરિ, વિમલાચાર્ય, અકલંક, નિષ્કલંક અને સિદ્ધસેનસૂરિ તેઓના કર્તવ્ય શાસ્ત્રકાર્યથી આર્યોના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂષોને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલાં કાર્યોનું સમરણ, તેઓના ગ્રન્થથી કરી શકાય છે અને તેઓનું કામ
ગિત્વ કેટલું બધું ઉત્તમ હતું તે તેના વિચારથી અવધાઈ શકે છે. જગડુશાહ શેઠે દુષ્કાળના સમયમાં હજારે મણ ધાન્યના મુંડા ગરીબને આપ્યા અને લાખો મનુષ્યને મૃત્યકાલથી બચાવ્યા તેથી તે દાનમાં આદર્શ પુરૂષ બની માની છતાં પણ તેના કર્તવ્ય કર્મથી લાખે મનુષ્યને ઉપદેશ શિક્ષા આપે છે અને તેઓ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરે છે. ઈડરમાં અંબાવીદાસ નામના એક ધનવાન જૈન ગૃહસ્થ થયા તેમના વખતમાં મેટે દુષ્કાળ પડે ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વ લોકોને અન્ન
For Private And Personal Use Only