SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ર૯ ગ્ય શિષ્ય કરવા, વ્યાખ્યાન દેવું, પ્રતિવાદીઓને નિરૂત્તર કરવાનું ધ્યાન સમાધિમાં પ્રવૃત્ત રહેવું વગેરે શ્રી હેમચંદ્રાચાર્યને કર્મવેગ હતું તેથી તેઓ જેના ઉપર મહેપકાર કરી ગયા છે, કે તેને જેનકેમ પાછો વાળવાને શક્તિમાન નથી. શંકરાચાર્યને, ગતમબુદ્ધને, મહમદ પૈગબરને, ઈશુને અને શ્રી મહાવીર પ્રભુને કર્મયોગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગ્રત કરવામાં જે જે આત્મભેગે આપ્યા છે તેને ખ્યાલ આવશે. જેણે સ્વાસ્તિવસંરક્ષક વિચારે અને આચારેને વિશ્વમાં પ્રવર્તાવવાની ઈચ્છા રાખી હોય તેણે પ્રથમ કર્મયેગી બનવું જોઈએ. સ્વાસ્તિત્વપ્રગતિકારક વિચારો અને આચારેને વિશ્વમાં પ્રવર્તાવતાં અલ્પ હાનિ અને મહાન લાભ થતું હોય તે તે દષ્ટિએ કર્મયોગી બનીને અને લાખો કરેડે મનુષ્યને કર્મયેગી બનાવવા જોઈએ કે જેથી વિનતિ કરવાને શક્તિમાન થવાય. શ્રી મહાવીર પ્રભુના વિચારે અને આચારે માનનાર જૈનેની સંખ્યા ઘટી તેનું કારણ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ પ્રમાણે કર્મણીએ પરંપરાએ મેટા મેટા ઉત્પન્ન કરવાની અને વિશ્વને માફક આવે એવી ધર્મપ્રવૃત્તિને પ્રવર્તાવવાની વ્યવસ્થાબુદ્ધિ અને પ્રવૃત્તિને નાશ થયે. વિશ્વવતિ મનુષ્યને ગુણકર્માનુસારે વ્યાવહારિક કાર્યોની સાથે જે ધર્મ સહેજે સધાય છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સ્વપૂજકેની સંખ્યામાં વૃદ્ધિ કરવા સમર્થ થાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર, વર્ણનુગ્ય ગુણકર્મોની સાથે સાથે ધાર્મિક ઘટતી પ્રવૃત્તિ કરી શકાય એવી દેશકાલાનુસાર ધર્મપ્રવૃત્તિના નિયમની જ્યાં વ્યવસ્થા છે તે ધર્મ ખરેખર સર્વત્ર સર્વદા વિશ્વમાં બહેની જનસંખ્યામાં વિદ્યમાન રહે છે. જૈનેના અગ્રગણ્ય ધાર્મિક અને વ્યાવહારિક કમગીએમાં પરંપરાસંરક્ષક મહા કર્મયેગીઓ બનાવવાની તથા દેશકાલાનુસાર જનસમાજના પ્રત્યેક અંગને અનુકુલ આવે એવા ધર્મકર્મગની વ્યવસ્થા કરવામાં ચુકાયું તેથી જેન કર્મગીઓ હાલ વિશ્વમાં અગ્રગણ્ય પદવીઓના ધારણ રહ્યા નથી. બદ્ધધર્મ હિન્દુસ્થાનથી દૂર થયે તેનું કારણ એ છે કે બ્રાહ્મણોએ સ્વધર્મી મનુષ્યનાં ઉંડાં મૂળ રહે અને તેઓ વ્યવહાર વ્યવસ્થાનુસાર જીવી શકે એવી જે પ્રવૃત્તિ કરી હતી તેવી For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy