SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૪ અને ભવિષ્યમાં પણ સર્વ આર્યો તેને ધિકકારશે. કુમારપાલના કેટલાક સામંતોએ શત્રુરાજાના ફેડવાથી ફુટી જઈને અપ્રમાણિત્વને ધારણ કર્યું હતું તેથી કુમારપાલરાજાએ તેઓને સજા કરી હતી. પ્રમાણિકવૃત્તિથી રાજા અને રંક શોભી શકે છે. કહેણી પ્રમાણે રહેણીના પ્રામાણ્ય જીવન વિના શહેનશાહ સરખા પણ શોભી શકતા નથી. માટે કહેણી પ્રમાણે રહેણું ધારણ કરીને વિશ્વશાળામાં કર્મયેગી બનવું જોઈએ. શ્રીમદ્ રવિસાગરજી ગુરૂમાં અને શ્રીમદ્ સુખસાગરજી ગુરૂ મહારાજમાં કહેણી પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવનચરિત્ર સમ્યક ખીલ્યું હતું. અતએ દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવાનુસારે કહેણ પ્રમાણે રહેણી રાખીને પ્રમાણિક બની કર્મયોગી થવું જોઈએ. અવતરણ–ક્રિયા મગ્ન ચિત્તધારક આદર્શ પુરૂષ બની મિની છતાં સ્વકર્મોને ઉપદેટા બને છે તે જણાવે છે. क्रियायांमग्नचित्तोयो निर्मलादर्शवत् स्मृतः मौनी सन्नपिविश्वेऽस्मिन न्नुपदेष्टास्वकर्मणाम्।।७४॥ શબ્દાર્થ –જે ક્રિયામાં મગ્ન ચિત્ત છે તે નિર્મલા દશવત્ ઋત છે અને તે આ વિશ્વમાં માની છતાં સ્વકર્મને ઉપદે અવ બેધ. વિવેચન–આ લેકને ભાવાર્થ અનુભવ ગમ્ય અને બુદ્ધિ ગમ્ય કરવા ગ્ય છે. ઉપર્યુક્ત કહેણ પ્રમાણે રહેણી આદિ ગુણ વડે વિભૂષિત થએલ કર્મયેગી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મગ્ન ચિત્ત બનીને નિર્મલાદર્શની પેઠે અન્ય મનુષ્યને ઉપકારી બની શકે છે. ગમે તેટલું વ્યાવહારિક તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ તે પ્રવૃત્તિમાં મૂકાયા વિના આત્મા ખરેખર કર્મવેગના ચારિત્રવડે આત્માની ઉચ્ચતાને પ્રાપ્ત કરી શકતો નથી. સ્વ કર્તવ્ય પ્રવૃત્તિમાં મગ્ન અર્થાત્ લયલીન રહેવાથી ચિત્ત વૃત્તિને સંયમ થાય છે અને તેથી આત્માની શક્તિ ને વિકાસ થાય છે. આત્મજ્ઞાનીઓ સ્વ કર્તવ્ય ક્રિયામાં ચિત્તને રાખે છે પરંતુ તેમાં રાગદ્વેષથી આસક્ત થતા નથી તેથી તેઓ નિઃસંગ રહીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિથી આત્માના અનુભવ જ્ઞાનમાં અને ગુણામાં વૃદ્ધિ કરે છે અને પ્રગતિમાં અગ્રગામી રહી શકે છે. કુંભેરણ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy