SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૯ રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. શ્રીમદ્ આનન્દઘનજીની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. નેપિલિયન બોનાપાર્ટની કહેણું પ્રમાણે રહેણી હતી તેથી તે જ્યારે લડાઈ માટે કંઈ પણ કહેતે હતે. ત્યારે તેની અસર તેના દેશીય મનુષ્ય પર સારી રીતે થતી હતી. તેના એક શબ્દની અસર તેના સૈનિકે પર સારી રીતે થતી હતી. વસ્તુતઃ વિચારીએ તે મનુષ્યના સત્ય શબ્દની કિસ્મત નથી, કારણ કે શબ્દબ્રહ્મવિના આ વિશ્વને એક ક્ષણમાત્ર પણ વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે મનુષ્ય પોતાના શબ્દોની કિંમત સમજતું નથી તે કદાપિ પ્રમાણિક બની શકતો નથી. જે મનુષ્ય બોલેલા બેલ પાળીને તે પ્રમાણે વર્તી બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સદ્વર્તનને અધિકારી બની શકે છે. ઘટાટોપ અને ફટાપ માત્રથી મનુષ્યના આત્માની ઉચ્ચતા સિદ્ધ થતી નથી, પરંતુ તેના શબ્દ પ્રમાણે તેની પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તેની મહત્તા અવબોધાય છે. મનુષ્ય પ્રથમ તે બેલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. વિષયનગરમાં એક વિષયાખ્ય વેશ્યા રહેતી હતી. તે એક દિવસ બજારમાં આવી બ્રહ્મચર્યની મહત્તાનું વિવેચન કરવા લાગી. હજારે લેકે તેના વ્યાખ્યાનને શ્રવણ કરવા લાગ્યા. તેનું વ્યાખ્યાન શ્રવણ કરીને લેકે પોતપોતાને ઘેર ચાલવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્ય સભામાં ઉભા થઈને કહ્યું કે જ્યાં સુધી વિષયાખ્ય વેશ્યા પિતાના આત્માને બ્રહ્મચર્યથી વિભૂષિત ન કરે તાવત્ તેના શબ્દ ખરેખર ફેનેગ્રાફની પિઠે જાણવા. એમ કહેવાથી વેશ્યા શરમાઈને બેસી ગઈ. આ ઉપરથી અવધવાનું કે તપ, જપ, ટીલાં, ટપકાં કરતાં પૂર્વે કહેણી પ્રમાણે રહેણને સવર્તનથી વિભૂષિત થવામાં આવે છે તેજ કયેગી થવાને અધિકાર પ્રાપ્ત થાય છે. આ વિશ્વશાલામાં કહેણું પ્રમાણે રહેણી રાખવામાં આવે છે ત્યારે જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેમાં વિશ્વાસ, પ્રમાણિકતા અને વિજ્યની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય વિદ્વાન હાય વા નિરક્ષર હોય, પરંતુ કમયેગી થવામાં કહેણી પ્રમાણે રહેણી વિના તે કદાપિ કર્મયોગમાં પ્રગતિમાનું બની શકતો નથી. ભક્ત બને, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy