________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
વખાધાઈ શકે છે. પ્રાચીન શિલ્પકળાનાં કાર્યાને અવલોકવાથી વર્તમાનમાં થતી પતિત દશાના ખ્યાલ આવી શકે છે. આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય પૂર્વે વ્યવસ્થિત બુદ્ધિથી સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને ધારણ કરતા હતા તેથી સર્વ દેશમાં આર્ય દેશ ઉત્તમ ગણાતા હતા. તાડ પત્રા પર લખેલા ગ્રંથૈને અવલોકવાથી વ્યવસ્થિત કાર્યનું ખરેખરૂં ભાન થયા વિના રહેતું નથી. પ્રાચીનકાલનાં પ્રત્યેક કાર્યમાં સ્વચ્છતા સુન્દરતા અને વ્યવસ્થિતતાનું ભાન થશે. લેખકે, વાચક, ઉપદેષ્ટાઓ અને બ્રાહ્માદ્રિવર્ગે સ્વસ્વાધિકારે પ્રત્યેક કાર્યમાં વ્યવ સ્થિતતા સંરક્ષવી. કાર્યની આન્તરિક વ્યવસ્થિતિ સ્વચ્છતા અને સુન્દરતામાં પાશ્ચાત્યા કરતાં પૈ.ૉત્યે અગ્રસ્થાને આવે છે એમ મન્નેના પ્રત્યેક કાર્યના ગર્ભમાં ઉંડા ઉતરી નિરીક્ષણ કરવાથી વાસ્તવિક સત્યતાના ખ્યાલ આવશે. હાહા અને ધાંધળી વૃત્તિથી વ્યવસ્થિત કાર્ય થઈ શકતું નથી તેમજ ઉતાવળ કરવાથી કદાપિ સ્વચ્છતા અને સુન્તરતા પ્રાપ્ત થઈ શકતી નથી. ઉતાવળ કરનારા મનુષ્યેાના કાર્યા તરફ ષ્ટિ ક્ષેપવામાં આવશે તેા ઉતાવળથી કેટલી બધી અસ્વચ્છતા અને અસુન્દરતા થાય છે તેનુ' ત્વરિત ભાન થશે. એક રાજાએ પેાતાની રાજસભાશાલા ચીતરવાને માટે ચિતારાઓને બોલાવ્યા અને પ્રત્યેક ચિત્તારાને વ્હે'ચીને રાજસભાશાલાના ખડો ચિતરવાનું કાર્ય સાંપ્યુ. સર્વે ચિતારાઓએ પોત પોતાના ખંડ ઉતાવળથી મારીને ચિત્રામણાથી ચિતર્યો. એક વૃદ્ધને પોતાના ખંડની ભૂમિ કે જેના ઉપર ચિત્રા કરવાનાં હતાં તેની શુદ્ધિ-નિર્મલતા કરતાં વાર લાગી, સર્વ ચિતારાઓએ ચિત્ર કાઢીને પૂર્ણ કાર્ય કર્યું ત્યારે તેણે ફક્ત ભૂમિની શુદ્ધિ કરી. સર્વ ચિતારાએ રાજાની પાસે ગયા અને ચિત્રા કાઢવાના કાર્યની સંપૂર્ણતા કરી એમ કથ્યુ તેથી રાજા મનમાં અત્યંત પ્રમાદ પામ્યા. સર્વ ચિતારાઓને તેણે પારિતોષિક આપી ખુશ કર્યાં અને સ્વયં રાજસભાશાલાનું ચિત્ર કાર્ય નિરીક્ષવાને પ્રધાન વગેરે સુન્ન સભ્ય મનુષ્યોના પરિવારે ત્યાં ગયા. સર્વ ચિતારાએ ચિતરેલાં ચિત્રા અને ભૂભાગાને દેખી ખુશ થયા એવામાં એક વૃદ્ધ ચિતારો સ્વભાગની ભૂમિની શુદ્ધિ કરતા દેખાયો, રાજાએ વૃદ્ધે ચિતારાને
For Private And Personal Use Only