________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪ પુછયું. શું તમે દરેક કાર્ય કરે છે ? વૃદ્ધ ચિતારાએ કહ્યું કે હ. રાજાએ પુછધુતમારું કાર્ય તમેએ કેટલું કર્યું છે. વૃદ્ધ ચિ તારાએ રાજાને પિતે ભૂમિની કરેલી શુદ્ધિ દેખાડી. રાજાએ અને પ્રધાને એ ચિત્રકારને કહ્યું કે અહ હજી તે તમે ભૂમિની શુદ્ધિ કરી રહ્યા છે તે ચિત્રોનું કાર્ય તે કયારે કરી શકશે. ચિતારાએ કહ્યું કે સ્વચ્છ સુન્દર વ્યવસ્થિત કાર્ય કરતાં વાર લાગે છે. અલ્પ કાર્ય થાય છે પણ તે બહુ સુન્દર થાય છે. અન્ય ચિતારાઓની પેઠે અને વ્યવસ્થિત અસ્વચ્છ અને અસુન્દર ચિત્રો ઝટ ચિતરી કાર્ય પુરૂં કરવાને હું ઈચ્છતો નથી તેથી તેઓ અસ્વચ્છ અને અસુન્દર ચિત્રો ચિતરીને ચાલ્યા ગયા. હજી મારે તે ફક્ત ભૂમિનીજ શુદ્ધિ થઈ છે. રાજાએ અને પ્રધાનોએ પુછયું કે તમે સુન્દર સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરે છે તેની શી પરીક્ષા ? ચિતારાએ સ્વયં ચિતરેલ. ભૂમિ ભાગ કે ઉત્તમ છે તે જણાવવાને પડદો ઉંચે કર્યો તે તે ભાગ ખરેખર કાચની પેઠે ઝળકવા લાગે અને અન્ય ચિતારાઓએ ચિતરેલાં સર્વ ચિત્રે તેમાં ચિતરેલાં દેખાયાં. રાજાએ કહ્યું કે ચિત્ર તે તમે ચિડ્યાં છે, શા માટે ના પાડે છે ? તેના ઉત્તરમાં તેણે કહ્યું કે આતે ફક્ત ભૂમિની શુદ્ધિથી સામી ભીંતનાં ચિત્રો અહીં પડેલાં છે. રાજા તે કાર્ય દેખીને ખુશ થયે. મનુષ્યએ વ્યવસ્થિત સ્વચ્છ પ્રત્યેક કાર્ય કરવું. ચિતારાના દષ્ટાંતથી મનુષ્યએ પ્રત્યેક કાર્ય ખરેખર વ્યવસ્થિતિથી અલ્પ કરવું પણ સુન્દર કરવું એ અભ્યાસ સેવા જોઈએ. ધર્મનાં સર્વે કાર્યો કરવામાં અને ધર્માચારે સેવવામાં સુન્દરતા, સ્વચ્છતા અને વ્યસ્થિતતા પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. આત્માની સ્વચ્છતા કર્યા વિના આત્મામાં ગુરૂના ઉપદેશના સંસ્કારની દઢતા થતી નથી. હૃદયની સ્વચ્છતા થયા વિના ધર્મ કાર્યોમાં સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી અને તેમજ હૃદયની સ્વચ્છતા વિના સમ્યકત્વાદિ ગુણેની શુદ્ધિ રહેતી નથી તથા મલીન મનથી કરેલાં ધર્મકાર્યોનું યથાયેગ્ય ફલ પણ પ્રાપ્ત થતું નથી. અતએવ મનુબેએ પ્રથમ ચિતારાની પેઠે પ્રત્યેક બાહ્ય તથા આન્તરિક કાર્યની ભૂમિ શુદ્ધ કરવી જોઈએ. પાયા વિના મહેલ ટકી શકતું નથી તેમ
For Private And Personal Use Only