SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૭ વગેરેનું પરમાર્થે અર્પણ કર્યું છે તેથી તેઓનાં દૃષ્ટાંતે વડે મનુષ્યને પ્રબોધી શકાય છે. પશુઓ અને પંખીઓ ઉપકાર કરે છે. વનસ્પતિ પણ અજેના ઉપર ઉપકાર કરે છે. મનુષ્ય જે અજેના ઉપર ઉપકાર ન કરે તે તેના જે. દુષ્ટ આ વિશ્વમાં અન્ય કઈ ગણાય નહિ. ખાવું પીવું, મજશેખ મારવા અને સ્વાર્થમાં લયલીન રહેવું એટલું કરવા માત્રથી કંઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિ. મનુષ્યત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકારપ્રવૃત્તિ મુખ્ય કારણભૂત છે માટે મનુષ્ય ! અન્ય આલપંપાલને ત્યાગ કરીને પરમાર્થ કર, ઉપકાર કર, ઉપકારથી તે મહાન થઈશ. હે મનુષ્ય ! વાસ્તવિક ગુણની પ્રગતિ કરવામાં ઉપકારનું અવલંબન કર. જીવનમુક્ત મહાત્માઓ કૃતકૃત્ય થયા હોય છે તે પણ તેઓ ઉપકાર માટે પ્રવૃત્તિ કરીને પ્રારબ્ધકર્મ ભેગવે છે. ઉચ્ચદશાને પામેલા તેવા મહાત્માઓને પણ જ્યારે ઉપકારની પ્રવૃત્તિ કરે છે. તે હે મનુષ્ય ! ત્યારે તે ઉપકારપ્રવૃત્તિ આદરવી જોઈએ એમાં હવે કંઈ કથવાનું વિશેષ રહેતું નથી એમ અવબોધ. દેશસેવા, રાજ્યસેવા, ધર્મસેવા, કુટુંબસેવા, માતૃપિતૃસેવા, ગુરૂસેવા, સંઘસેવા, સમાજસેવા, જ્ઞાનસેવા, દર્શનસેવા, સંયમસેવા, સાર્વજનિક હિતકારક કાર્યસેવા વગેરે સેવાઓના માર્ગોમાં વિચરવાથી અનેકધા ઉપકારનાં કાર્યોને કરી શકાય છે. આગમોમાં, નિગમમાં, ગ્રન્થમાં ઉપકારક કાર્યોની દિશાઓ ખરેખર વિવેક પુરસ્સર દર્શાવવામાં આવી છે તેથી સમ્યમ્ અવધવું કે દુઃખી, ગરીબ, દેશી, પાપી જીવે પર ઉપકાર કરીને તેઓને ગુણે આપી ઉદ્ધાર. આ વિશ્વના જીવોના દોષે દેખાશે અને તેઓને તિરસ્કાર કરી તમે પિતાને ડાહ્યાડમરા માની લેશે તે વિશ્વશાલામાં અધઃપાત થશે અને પડતા પડતા નીચ એનિમાં ઉતરી જવાના. માટે અન્ય જીવોના હજારે કરડે અપકારે ભૂલીને તેઓના ઉપર ઉપકાર કરે. સર્વ જીવો પર ઉપકાર કરવાનું જે ધર્મ શિખવતું નથી તે ધર્મનું અમારે કામ નથી અને તે ઉપકારપ્રવૃત્તિવિનાને ધર્મ વિશ્વમાં જીવતે પણ રહેતું નથી. જે પ્રમાણે આત્મામાં ઉપકાર કરવાની ભાવના પ્રગટતી હોય તે પ્રમાણે પ્રવૃત્તિથી ઉપકાર કરતાં જરા માત્ર સંકેચ ન પામ જોઈએ. મનુષ્ય! મનમાં અવધ કે આયુષ્ય પૂર્ણ થયા પશ્ચાત્ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy