SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૬ આત્માની એકતા કર કે જેથી તેઓના દુઃખને હર્તા બની શકે. પપકારને જે ધર્મ ન માનતે હોય તેવા રાક્ષસને આ વિશ્વમાં જીવવાને હક્ક નથી. દવાશાળાઓ, પાઠશાળાઓ, બોર્ડીંગ, આશ્રમે, ગુરૂકુલે, ધર્મશાળાઓ, રાજ્યકાયદાઓ, સદાચાર, પ્રપાઓ, પાંજરાપળે, અનાથાલયો, બહેરા મુંગાની શાળાઓ, સાધુઓને ઉતરવાનાં સ્થાને, ભાષણશાળાઓ, ઉપાશ્રયે વગેરે સર્વે ઉપકાર કરવાનાં સ્થાનકે છે. ઉપકાર કરવાનાં જે જે સાધન હોય તેઓને સાર્વજનિક દષ્ટિએ સર્વ જીવેને યથાગ્ય લાભ મળે તેવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ અને સર્વ જીવોનાં હૃદય શાન્ત કરવા અનેક ઉપકારોની પ્રવૃત્તિમાં તત્પર થવું જોઈએ. બુદ્ધદેવ કહે છે કે “સંસારમાં ચાવત શાન્તિ ન હોય તાવતું મારા હૃદયમાં દુઃખ થયા કરશે” મહાત્મા ઈસુ કાઈસ્ટ કહે છે કે “જે મારે ભાઈ હુને તમાચે મારે તે તું હૈયે ધર અને તેના સામે ત્યારે બીજો ગાલ કર”. સપ્તમ એડવર્ડ કહે છે કે “આ સંસારમાં હું શાન્તિ ચાહું છું.” મહાત્મા વિલિયમ ટામાસ સેડ કહે છે કે “ભગવન્! કમથી કમ એક ભાઈની તલવાર બીજા ભાઈને ગળા ઉપર ના ચલે, વિશ્વમાં શાન્તિ વર્તે, નિર્બલે પર અત્યાચાર ન થાય એવું હું ચાહું છું.” એ મેટા પુરૂષના હૃદયમાં ઉપકારની વૃત્તિ છે તેથી ઉપર્યુક્ત શબ્દ તેમના હૃદયમાંથી નીકળે છે. રૂશિયામાં મહાત્મા ટેસ્ટોય જ્યારે વગડામાં મરણપથારીએ સૂતે ત્યારે તેની પાસે હજારે મનુષ્ય આવી બેસવા લાગ્યા. તેઓને સંગ બધીને મહાત્મા ટેસ્ટેય કહેવા લાગ્યું કે “અરે મારા આત્માઓ! તમે મારી પાસે કેમ બેસી રહ્યા છે? તમારી એક પળ પણ નકામી ગુમાવ્યા વિના ગરીબ પર ઉપકાર કરવા પ્રવૃત્તિ કરે. તમારી સાહાધ્યને માટે વિશ્વજીવે રાહ જોઈ રહ્યા છે. તેઓને માટે તમે ઉઠે અને તેઓનાં દુઃખ દૂર કરી તેઓને શાન્તિ આપે કે જેથી મને મરતાં શાંતિ મળે.”મહાત્મા ટેલટેયના હૃદયમાંથી પોપકારવૃત્તિથી ઉપર્યુક્ત શબ્દ નીકળે છે તેથી તેની મહત્તાને વિશ્વને બહુ ખ્યાલ આવે છે. પરોપકાર કરવામાં જે મનુષ્ય સમજ ન હોય તે મનુષ્ય ધર્મમાં કંઈ સમજતો નથી. મહાત્માઓએ કષિએ હાડકાં રૂધિર For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy