SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૫ વિશ્વવતિ સકલજીએ તત્પર રહેવું જોઈએ. શ્રી તીર્થકર મહારાજા સમવસરણમાં બેસી દેશના દેઈ મનુષ્ય વગેરેને ઉદ્ધાર કરે છે તેથી તેઓ મહાદેવ-ત્રિભુવનપતિ-મહામાહન વગેરે વિશેષણથી સ્તવાય છે. આ વિશ્વમાં પરસ્પરપ્રવતિત ઉપકારસૂત્રને જે ઉછેદ કરવા તત્પર થાય છે તે આ વિશ્વશાલામાં અપકાન્તિના નિયમાનુસારે સ્વજાતિને અધઃપાત કરે છે. પરસ્પર ઉપકાર કરવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્યા વિના વિધેપગ્રહમાંથી મુક્ત થઈ શકાય તેમ નથી. સંપૂર્ણ વિશ્વવસ્તુઓને સંચય કરીને તેને રખવાળ બનવાથી માનવને કઈ જાતને લાભ નથી. અહમમત્વના પડદાઓને છેદીને જે આ વિશ્વને દેખવામાં આવે તે આ વિશ્વ એક કુટુંબ સમાન ભાસે અને પોતાની સર્વશક્તિનું વિશ્વને સમર્પણ કરી શકાય. જેવું વિશ્વમાંથી લેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવી વિશ્વને પાછું દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ છે તેનાથી વિશેષ મનુષ્ય કરી શકતો નથી. અતએવ તેણે વિશ્વની સાથે સત્તાધિકારી છતાં અને ધનપતિ છતાં સમાનભાવથી વર્તવું જોઈએ. વિશ્વના અને પિતાના કરતાં નીચ અને પોતાની કૃપાવડે જીવી શકે છે એવું મનમાં ધારીને કદાપિ કોઈ ઉપગ્રહ પ્રવૃત્તિને સેવે તે તે એગ્ય ગણી શકાશે નહિ. સર્વ જી પિતપિતાની ફરજે મેટા છે. આપણે તેઓને શામાટે હલકા ગણવા જોઈએ? આપણે જેમ અ ના ઉપકારો ગ્રહણ કરીને જીવતા હોઈએ છીએ તેમ અન્ય જીવે આપણા ઉપગ્રહોને ગ્રહી જીવી શકે છે, તેથી તેઓને હલકા ગણવાને પાપગ્રહદષ્ટિએ અધિકાર નથી. પરસ્પર એકબીજાની ફરજરૂપ ધર્મ અદા કરવાને આ વિશ્વશાલામાં સર્વ જીને અધિકાર છે તેમાં સદા પ્રવૃત્તિ કરવી જોઈએ. આ વિશ્વશાલામાં પરોપકાર કરે એજ પ્રભુને પ્રાપ્ત કરવાનું અને સ્વતિ કરવાને ઉપાય છે તે વિના કદાપિ આત્મગુણ ખેલવાના નથી. જે મનુષ્ય પરેપકાર કરે છે તે પ્રભુના માર્ગને પ્રાપ્ત કરે છે અને દુર્ગુણોને ત્યાગ કરીને સગુણેને ગ્રહણ કરી શકે છે. ભેદભાવની વૃત્તિને ત્યાગ કરીને પરસ્પરેપગ્રહ કરવાની વૃત્તિને આદર અને આ વિશ્વવતિ દુઃખી પ્રતિ દષ્ટિ દેઈ તેઓનાં દુઃખ ટાળવાને તેઓના આત્માની સાથે પિતાના For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy