________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮ કાર થતું અટકાવ્યું. આ ઉપરથી અવધવાનું કે પરસ્પર ઉપગ્રહ અને પરસ્પર છમાં થતા અપકારનું ચારે બાજુએથી પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ કે જેથી આ વિશ્વશાલામાં ઉપગ્રહને સ્થાને અપકાર ન કરી શકાય અને નૈતિસાધક કર્મયોગી બનવામાં વિચારે અને પ્રવૃત્તિમાં ભૂલન થાય એવું લક્ષ્યમાં રાખીને પરસ્પરોપગ્રહ દષ્ટિએ આ વિશ્વશાલામાં કર્મયેગી બની આત્મોન્નતિ અને વિન્નતિ કરવી જોઈએ. વિશ્વશાળામાં અનેક ધર્મ પળે છે તે સર્વ ધર્મોને ઉદ્દેશ વરતુતઃ પરસ્પર એક બીજાનું શ્રેય કરવા ઉપકારસૂત્રથી સંબંધિત થવું એમ તરતમયેગે અવબોધાય છે. આ વિશ્વમાં સર્વ જી. સુખને ઈરછે છે પરસ્પર ઉપકાર કરવાથી જેને સુખના માર્ગમાં આરહી શકાય છે અને દુઃખના માર્ગોથી નિવૃત્ત કરી શકાય છે. જ્ઞાતિનું બંધારણ અને રાજ્યનું બંધારણ પરસ્પર ઉપગ્રહ કર્મના ઉદ્દેશપર રચાયેલું છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્રના ગુણકર્મોનું બંધારણું ખરેખર vervie sોવાનામ્ એ સૂત્રના ભાવાર્થના સાધ્યબિન્દુને લક્ષી રચાયેલું છે. વિશ્વમાં મનુષ્યને જીવવા માટે અન્નની જરૂર છે અન્ન માટે બીજની જરૂર છે. બીજોનું રક્ષણ કરી બી વાવવા માટે કૃષિબલેની જરૂર છે. કૃષિબલેને બ્રાહ્મણની વિદ્યા માટે જરૂર છે અને રક્ષા માટે ક્ષત્રિયની તથા સેવા માટે શુદ્રની જરૂર છે. ચાર વર્ણોને પરસ્પર ઉપગ્રહ માટે એકબીજાથી શરીરનાં અંગો અને ઉપાંગોની પેઠે જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે કૃષિબલોની પેઠે મેઘની ઉપગ્રહની જરૂર છે. મેઘની ઉત્પત્તિ માટે સૂર્ય અને જલની જરૂર છે. જલને અન્નની જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે પૃથ્વીની જરૂર છે, અને પ્રકાશની જરૂર છે. એમ એકેક જીવને પગી વસ્તુ માટે અનેક વસ્તુઓના ઉપગ્રહની જરૂર પડે છે. વિષ્ટા વગેરે પદાર્થોની ખેતી માટે જરૂર પડે છે તે અન્ય વસ્તુઓના ઉપગ્રહોની વિશ્વમાં જરૂર પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. સાયન્સ વિદ્યાની ખીલવણી માટે અખિલવિશ્વના ઉપકારની અપેક્ષા રહે છે. સામાન્ય સર્વ વિદ્યાઓની ખીલવણી માટે અખિલવિશ્વ વસ્તુઓના ઉપકારની આવશ્યકતા રહે છે. ક્ષત્રિયકર્મની ખીલવણી માટે વિશ્વવતિ સર્વ જીવોના અને અજીના
For Private And Personal Use Only