________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
B
વ્યવહારનયથી વિવેકદ્રષ્ટિએ નિરવદ્ય પરોપકારની મુખ્યતાએ બહુ લાભ અને અલ્પહાનિ વગેરેના વિચાર કરીને ઉપગ્રહમાં કર્માધિકાર પ્રમાણે પ્રવૃત્ત થા. જગતનું આનુભિવક સજીવન સૂત્ર પરસ્પર ઉપકાર કરવા તેજ છે. હું આત્મન્! તું જે કર્મકાટી પર હોય અર્થાત્ તું જે સ્થિતિ પર રહી જે પ્રવૃત્તિ કરતા હોય તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પરને દ્રવ્ય અને ભાવ પરોપકાર કરવામાં ઉપદેશાદિ પ્રવૃત્તિને સેવ ! ! ! હું આત્મન્ ! હારા શરીરમાં જે પરમાણુએના ધેા પરરપર ભેગા થયા છે તેના વડે સ્વપરોપગ્રહભાવને સાધી લે અને દુનિયાને શાશ્વત સુખપ્રદ પરોપકાર કરવા માટે જાગ્રત કર. મુનિને મુનિના અધિકાર પ્રમાણે ઉપગ્રહના અધિકાર છે, અને ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ઉપગ્રહ અર્થાત્ પરોપકાર કરવાના અધિકાર છે. નૈગમનય, સ`ગ્રહનય, વ્યવહારનય, સૂત્રનય, શબ્દનય, સમભિનય અને એવભૂતનયથી ઉપગ્રહનું સ્વરૂપ અવઆધવું જોઇએ. સાતનયાથી ઉપગ્રહનું સ્વરૂપ સમજવાથી ઉપગ્રહને સત્ય વિવેક પ્રગટ થાય છે. ચારનિક્ષેપથી ઉપગ્રહ અર્થાત્ ઉપકારનું સ્વરૂપ અખાધવું જોઇએ. આપણને અન્ય ઉપકાર કરે છે. તેથી આપણા મનમાં જેવી અસર થાય છે તેવી આપણે અન્યાના પર ઉપકાર કરીએ છીએ ત્યારે અન્યને અસર થાય છે. આપણી સારી સ્થિતિ કરવાને કોઇ આપણને સાહાય્ય કરે છે તો આપણે તેના આભાર તળે આવીએ છીએ તેવી રીતે આપણે અન્યના ઉપર ઉપકાર કરીએ છીએ તેા અન્ય જીવો પણ આપણા ઉપકાર તળે આવે છે, અને તેથી તેઓ તેમની સ્થિતિ પ્રમાણે આપણને આગળ વધવામાં સાહાચ્ય કરે છે; અન્યોના ઉપર ઉપકાર કરતા છતા જો તું ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, સંયમમાર્ગમાં આગળ વધીશ તે તેથી તું પાછે પડી શ કીશ નહિ. એમ હું આત્મન્ ! હૃદયમાં ખાસ તું ધારશે. વર્તમાનકાલમાં ત્હને જે જે કંઈ ઉપકાર કરવાને અધિકાર પ્રમાણે મળ્યું હાય તેના વર્તમાનમાં ઉપયોગ કર. ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિચાને ઉપકારાર્થે વાપરવાના વિચાર ન કર. કારણ કે ભવિષ્યકાલ એ વર્તમાનમાં અપ્રાપ્તકાલ છે. પ્રાપ્તકાલના અનાદર કરીને અપ્રાપ્તકાલમાં
For Private And Personal Use Only