SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮૦ નૈશ્ચયિક ધર્મમાર્ગમાં પશ્ચાત્ રહે છે. જે અન્યના ઉપર ઉપકાર કરતા નથી તેને ઉચ્ચકાટ પર ચઢાવવા અન્ય મહાત્માઓ પણ ઉપગ્રહ દેતા નથી. જે મનુષ્ય સયમમાગમાં વિચરે છે, તે જગને વાસ્તવિક સુખકારક ઉપકાર કરવા સમર્થ અને છે. જે ઉપગ્રહથી આત્માની પરિપૂર્ણ શાન્તિ પ્રગટે અને સર્વ પ્રકારની વાસનાના નાશપૂર્વક જન્મ જરા અને મરણના અધનાની પર પરાથી આત્મા છુટે તેવા પ્રકારના ઉપકાર તે ખરેખર સર્વાંત્તમ વાસ્તવિક ઉપકાર કથી શકાય અને એવા પ્રકારના ઉપગ્રહને કરનારા ત્યાગિ મુનિવરો હોવાથી તે જગને તારી શકે છે. જે મુનિવરો જગત્ની પાસેથી અલ્પ પરીપકાર ગ્રહણ કરે છે, અને તેના અદ્દલામાં જગતને અનન્તગુણ પરોપકાર કરે છે, એવા મુનિવરોની બલિહારી છે. મુનિવરે કરતાં સર્વ તીર્થંકરો અનન્ત ગુણ વિશેષ ઉપકાર કરીને ગન્ના નાયક બને છે. મહાત્માઓ જગતના ઉપગ્રહોની આપલેના સ'ખ'ધમાંથી મુક્ત થયા બાદ શરીરના ત્યાગ કરીને અક્રિય નિરંજન-સિદ્ધ–મુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારોને ખદલા વાળવાના હોય છે. ત્યાં સુધી મહાત્માઓને શરીર ધારણ કર વાના અધિકાર છે. પશ્ચાત્ તેઓ સાદિ અનન્તમા ભાગે મુક્તિપદ પામે છે. તીર્થંકર મહારાજાઓને તેરમા ગુણસ્થાનકમાં જગત્ જીવાને દેશના દેઈ તીર્થંકર નામકર્મ ભોગવવા પ્રવૃત્ત થઈને ભાષાવર્ગણાનાં પુદ્ગલા ખેરવવાં પડે છે એ બધું પરસ્પરોપગ્રહત્વ સંબંધ અનુસારે અવળેાધવું. ચતુર્વિધસંઘને પરસ્પર ઉપગ્રહ સંબંધ છે. ચતુર્થનુ ણુસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. અને તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની ચેાગ્યતાના ગુણા મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કહ્યું છે. સમ્યક્ત્વ પ્રતિ મિથ્યાત્વ ઉપગ્રહીભૂત થાય છે. અને ચારિત્ર પ્રતિ સમ્યક્ત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણ સ્થાનક પ્રતિ પંચમ ગુણસ્થાનક ઉપગ્રહકારક છે. એમ ઉત્તરોત્તર ગુણસ્થાનકા પ્રતિ નીચે નીચેનાં ગુણસ્થાનક ઉપગ્રહકારક થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવત્તિ મુનિયાને અપ્રમત્ત મુનિવરો ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવત્તિ મુનિયા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy