________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૨
વાયુના ઉપકારતળે મનુષ્ય દટાયલા હોય છે. દુનિયાના દરેક પ્રાણીઆને વાયુ જીવાડે છે. જો બે ઘટિકા પર્યન્ત વાયુ જગમાં બધ રહે તે સર્વ જીવાના નાશ થઇ જાય. આ ઉપરથી અવબાધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારા મનુષ્ય જો અન્યાના ઉપકાર માટે સ્વકીય સર્વસ્વના ઉપયોગ ન કરે તેા તેના જેવા કૃતઘ્ર અન્ય કોઈ હાઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કોઇ જીવ જીવી શકતા નથી. માટે ગમે તેવા નિસ્પૃહભાવ દર્શાવનાર મનુષ્યે વિચારવું કે જ્યાંસુધી મ્હારૂ જીવન છે ત્યાંસુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારના ખલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અગ્નિના ઉપકારતળે મનુષ્ય દટાયલે છે. અસ`ખ્ય અગ્નિકાયના જીવાના નાશ કરીને મનુષ્ય પોતાનું જીવન સ‘રક્ષી શકે છે. પાચનાદ્વિ ક્રિયાથી તે આહારને પત્ર કરવા માટે અગ્નિના ઉપયાગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનુ નિવારણ કરવા માટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિના આરંભ સમારંભ કરે છે. યઢિ જગમાં અગ્નિ ન હોય તા મનુષ્ય પાતાના પ્રાણની સંરક્ષા કરવા માટે સમર્થ થઇ શકે નહિ. પ્રત્યેક મનુષ્યને અગ્નિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનુ પોષણ થાય છે. જગનું ઢાંકણભૂત કપાસ મનુષ્યને કેટલા બધા ઉપકાર કરે છે ? તે વિચાર કરતાં અવબાધાઈ શકશે. મનુષ્યા વનસ્પતિના આહારના પ્રાયઃ માટા ભાગે ઉપયોગ કરીને તે વડે જીવીને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસ્પતિયાને ઉપયાગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિવિના મનુષ્ય જીવી શકતા નથી. મનુષ્યની વાચિક તથા કાયિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકોની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની ઉન્નતિમાં અનેક મનુષ્યાની અનેક પ્રકારની સાહાય્યતા મળી હોય છે, તેને યદિ મનુષ્ય વિચાર કરે તેા પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષકો પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દખાય છે. અનેક પરમાથિમનુષ્યેાપાસેથી કાઈનું કઇ તે ગ્રહણ કરે છે. અનેક સહચરામિત્ર પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહને ગ્રહે છે, અને સ્વકીયાન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે.
For Private And Personal Use Only