________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
માં એકત્રિત થએલા મુસાફા સમાન છે. એક જીવે અનેક જીવાની સાથે સગપણ માંધ્યા છે તેથી તે અનેક જીવાના ન્હાના મેટા અનેક ઉપકારાથી ઉપકૃત થએલ હોય છે તેમજ એક જીવે અનેક જીવાને કાઈ પણ અંશે ઉપકાર કરેલા હોય છે. એક જીવની વ્યાવહારિક તથા આધ્યાત્મિકાન્નતિમાં અનેક જીવેની અલ્પ અલ્પતર અધિક અધિકતર આસત્ર આસન્નતર આસન્નતમાદ્રિ ભેદે અનેકધા સાહાચ્ય હોય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયત્વ પામતાં પરસ્પર વેને ઉપકારિત્વ સંબન્ધ ઘટે છે. એક મનુષ્યનું દૃષ્ટાન્ત અંગીકાર કરીને વિચાર કરવામાં આવે તો વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. એક મનુષ્ય જ્યારથી જનનીના ઉદરમાં ઉપજે છે, ત્યારથી તે આહારાદિ ગ્રહણ કરે છે. માતાના ઉદરમાં ઉત્પન્ન થવાથી અને માતાના પ્રેમથી પેષાચલા તે માતાના ઉપકાર તળે દબાય છે તેમજ તેની ઉત્પત્તિમાં જનક કારણીભૂત હોવાથી તે પિતાના ઉપકારથી ઉપકૃત થાય છે. માતાના પેટમાં વાયુ વગેરેથી તે વાયુ આદિના ઉપકાર તળે દબાયલે થાય છે. માતાના ઉત્તરમાંથી બહાર નીકળ્યા પશ્ચાત્ તે પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના પુદ્ગલોને ગ્રહણ કરે છે. માટે તે તે કાયના જીવેાના ઉપકારને ગ્રહણ કરનાર ખની શકે છે. માતાના ઉદરમાંથી હિ નીકળેલ મનુષ્ય પૃથ્વીપર રમે છે. પૃથ્વી પર શયન કરે છે. પૃથ્વીકાયનાં પુદ્ગલોને ગ્રહણ કરી આહાર રૂપે પરિણમાવે છે અને તેથી સ્વકીય શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. પૃથ્વીનાં ઘર તે રહેવા માટે આંધે છે. પૃથ્વી રૂપ ક્ષેત્ર વિના અત્રાદિની ઉત્પત્તિ થતીનથી. પૃથ્વીપ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ વનસ્પતિ અન્ન વગેરેનું ભક્ષણ કરીને તે જીવી શકે છે માટે મનુષ્યને જન્મથી પૃથ્વીના ઉપકાર ગ્રહણ કર્યા વિના છૂટકો થતા નથી. જન્મેલે મનુષ્ય જલનું પાન કરે છે. જલથી શરીર પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. અન્ન વિના થોડા દિવસ ચાલે પણ જલ વિના ચાલી શકે તેમ નથી. માટે જન્મથીજ જલના ઉપકારતળે મનુષ્ય આવે છે. જન્મેલ મનુષ્ય વાયુને ગ્રહણ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકે તેમ નથી. પૃથ્વી, જળ કરતાં પણ વાયુને મનુષ્ય વિશેષત: ગ્રહણ કરે છે. અતએવ જન્મથી
For Private And Personal Use Only