________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૪
છે. આ વિશ્વશાલામાં અનન્ત, અખંડ, અબાધિત, નિત્ય અને સત્ય સુખને પ્રાપ્ત કરવું એજ વેન્નતિ સાધક કર્મયોગીને મુખ્ય સાદેશ છે એ ઉદ્દેશની સિદ્ધિ માટે આત્મિક અનુભદ્વારા પ્રવૃત્તિપ્રગતિમાન થવું જોઈએ. આત્માને જે સુખ ગમે છે તેજ આત્માને વારતવિક અનુભવ છે. અતએ મનની સુખબ્રાતિથી આત્મસુખને ભિન્ન અનુભવ પ્રાપ્ત કરી કમેકમે ઑન્નતિ સાધક જે જે કર્મો હોય તેઓની પ્રવૃત્તિ આદરવી જોઈએ. વિશ્વશાલામાં ચેતનજીએ સ્વાનુભવને અગ્ર કરી પ્રવર્તવું જોઈએ, પરંતુ અન્યના અનુભવની પાછળ પાછળજ જડ અન્ધશ્રદ્ધાળુ બની ન પ્રવર્તવું જોઈએ. દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને ચેતનજીએ આત્માનુભવ દ્વારા નૈતિસાધક કર્મયોગી બનવું જોઈએ. આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્યદ્વારા અને અનુભવ પ્રદર્શક પુસ્તકેની સાહાસ્યથી વિવેકપ્રદ અનેક અનુભવને પિતાનામાં પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થકરે આ વિશ્વશાલાના પૂર્વ વિદ્યાર્થિ હતા તેઓએ સર્વજ્ઞ દષ્ટિવડે વિશ્વશાલાવતિ અનન્ત ય પદાર્થોનું અવલોકન કર્યું તેવી દ્રષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું તેનામાં સામર્થ્ય રહ્યું છે તેને કર્મયેગી બની પ્રકટાવવું જોઈએ. મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તે તેના માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શોધશે તે મળી શકશે, સદ્ગુરૂગમ લઈને જરા માત્ર હિંમત ન હારવી જોઈએ. વિશ્વશાલાનાં ગુણજ્ઞાનનાં બારણું ઠોકે છે કે તે વજ જેવાં હશે તે પણ ધેર્ય, ખંત, ઉત્સાહ અને બુદ્ધિથી તુર્ત ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્ત અવલોકતાં નતિ સાધવામાં આત્માસ્વાર્પણ કરી શકે છે.
અવતરણુ–ઉપર્યુક્ત વિશ્વશાલામાં કર્તવ્ય કર્મ ગવડે પરસ્પર જીવને ઉપગ્રહ હોય છે અને તેથી સર્વ જ એકબીજાના સાહાટ્યકારક બને છે એવું પ્રબેધાવી કર્મગની મહત્તા દર્શાવે છે.
कर्मयोगेन जीवाना-मजीवानां परस्परः ॥ तत्वार्थसूत्रनिर्दिष्टो, विज्ञातव्य उपग्रहः ॥६८॥
For Private And Personal Use Only