SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ૩ આત્માત્ક્રાન્તિના ઉચ્ચ શિખરપર આરાહીને આદર્શપુરૂષ બની શકે છે. આફ્રિકામાં ત્રાન્સવાલમાં મોહનલાલ કરમચંદ ગાંધીએ હિન્દુઓના હક્કને માટે ભગીરથ પુરૂષાર્થ કર્યાં અને તેથી તેએ અલ્પાધિકાંશે વિજયી થયા તેને કેદમાં જવું પડયું તે તેઓએ વિચાર્યું કે જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે એમ આત્મનિશ્ચય કરી કેદખાનાનું દુઃખ ભાગળ્યું અને તેથી તેને હિન્દુસ્થાનના ગેખલે વગેરેની સહાય મળી તેથી તેઓ સ્વસાધ્યકાર્યમાં વિજયીભૂત ખન્યા. એક મહાપુરૂષને વિપત્તિ પડે છે તેથી ઈશુક્રાઇસ્ટનીપેઠે અનેક મનુષ્યોના ઉદ્ધારક થાય છે. હું મનુષ્ય! હારી જીંદગીમાં અનેક વિપત્તિયાને અનુભવ થાય તેથી તું કંટાળતા નહિ કારણ કે દુઃખના તરણાની પાછળ સૂર્ય ઢંકાયલા હોય છે. હે મનુષ્ય ! હારી જી ંદગીમાં જે જે કંઈ ખુરા બનાવા અને તે તે પણ હને શુભ જણાવવાને માટે ત્હારા શિક્ષક સમાન છે એવું માનીને સ્વાધિકારે કર્તવ્યકાર્ચીને કર્યા કર. જ્યારે હિન્દુસ્થાનમાં અંગ્રેજો આવ્યા ત્યારે તેને રાજ્યની પ્રાપ્તિ થશે એવું તેઓએ તથા હિન્દુસ્થાનના લોકોએ ધાર્યું નહોતું પરંતુ જે થવાનુ હોય છે તે થયા કરે છે. સ્વાધિકારે અપ્રમત્ત બનીને કર્તવ્ય જે જે કાર્યો કરવામાં આવે છે તેનાથી હિન્દુમાં આવેલા અગ્રેજોની પેઠે શુભ થાય છે એમ માનીને કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. કર્તવ્યકાર્યાં કર્યાં વિના તે સદા અશુભજ છે. જ્યારે જૈનોએ સ્વાધિકારે આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં દેહમમત્વ, સ્વાર્થ, સંકીર્ણષ્ટિ અને ભાવીભાવના વિચારો સેવ્યા ત્યારે તે ઉન્નતિના ઉચ્ચશિખરોથી પ્રતિશતક નીચે ગગડવા લાગ્યા અને હાલ તેરલાખ જેટલી મનુષ્યાની અનેક મતમતાન્તરવાળી સંકીર્ણ ષ્ટિયુક્ત સંખ્યામાં વિશ્વમાં સ્વાસ્તિત્વ જાળવવા સકીર્ણ સ્થિતિમાં આવી રહ્યા છે. સ્વાધિકારે કર્તવ્યકાર્યાં કરવામાં. જાપાન, ઈગ્લાંડ અને જર્મનીની પેઠે દેહમમત્વાધ્યાસ વગેરેને તિલાંજલિ આપી શુભાર્થ સર્વે આવચકકર્તબ્યા કરવાં જોઇએ કે તેથી વ્યાવહારિક પ્રગતિની સાથે પારમાર્થિક પ્રગતિમાં અગ્રગણ્ય બની શકાય. સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યો કરતાં મૃત્યુ થાય. સર્વ શક્તિાને આત્મલેગ આપવા પડે તે પણ તે સમષ્ટિ માટે શુભાર્થ છે. દેશ-સમાજ, સંઘ, જ્ઞાતિ આદિ માટે ७० For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy