SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પs એવું અનેક દષ્ટાંતથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થો અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલેકતાં અશુભ અવબેધાય પરંતુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણથી તેમનાં પરાકમે અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લોકોના મનમાં આવ્યું. રાવણની સાથે લડવાથી તેમને ઉદય થ અને અદ્યપર્યન્ત તેમના ચરિતથી વિશ્વવતિમનુષ્યને અનેક પ્રકારને સબંધ મળે છે. પાંડે બારવર્ષ વનમાં રહ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિનો પ્રારંભ અને પુષ્ટિ થઈ એમ અનુભવ કરતાં અવબોધાશે. જ્ઞાનિમનુષ્યને દુખે પડે છે તે સુખાર્થ થાય છે. વૈશાખમાસના પ્રખરતાપ વિના વર્ષા થતી નથી; જેમ તાઢ તાપ ઘણે પડે છે ત્યારે ઘણી વૃષ્ટિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુઃખે અને અનેક વિપત્તિમાંથી પસાર થવાનું હોય છે તેથી દુઃખો અને વિપત્તિમાંથી તેની પ્રગતિને માર્ગ ખુલ્લો થાય છે. શ્રીકૃષ્ણ વગેરેએ સેરઠ દેશમાં દ્વારિકામાં દુઃખના માર્યા આવીને વાસ કર્યો તેથી કૃષ્ણ વગેરે યાદની ઉન્નતિ થઈ અને તેથી તેઓ ઈતિહાસના પાને અમર થયા. મહા પુરૂષને માર્ગ ખરેખર દુઃખ વિપત્તિ વગેરે કાંટાની ઝાડીમાંથી નીકળે છે. શ્રી મહાવીર પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિષહ વેઠવાથી પ્રગટ થઈ હતી. શ્રી મહાવીરની પ્રભુતાને ગે શાળાના સંબંધથી નિશ્ચય થાય છે. અએવ શ્રી મહાવીર પ્રભુને ગશાળ મળે તે સારા માટે અવોધવું અને તેમજ શ્રી વીરપ્રભુના સંબંધથી ગશાળે અને મુક્તિ જશે ખરેખર તે પણ શુભાર્થ થયું અવબોધવું. શ્રીપાલરાજાને ધવલશેઠને સંબંધ ન થયે હેત તે શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહીં. શ્રીપાલ રાજાની ઉત્તમતા, સુજનતા ખરેખર ધવલશેઠની દુર્જનતાથી દીપી શકે છે અને તેથી શ્રીપાલના ગુણોની આદર્શતા અવલોકી શકાય છે. નરસિંહમહેતાને તેમની ભાભી ન મળ્યાં હોત તો તેઓ ભક્ત બની શત નહિ. નરસિંહ મેહતાને પુત્ર મરણ પામે ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ભલું થયું ભાગી જંજાલ, સુખે ભજશું શ્રી પાલ” વગેરે શબ્દોને હૃદય બહાર કાઢ્યા. શ્રી રામચંદ્ર જ્યારે સીતાને વનવાસમાં મેકલાવી દીધી ત્યારે સીતાના અકલંકચા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy