________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૯ પ્રકૃતિને ઉડાવી મનને સ્વાત્મ સન્મુખ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. મેહ પ્રકૃતિ અને આત્મા એ બનેની મધ્ય સ્થિતિમાં રહેલું મન ખરેખર પુરૂષમાં પણ ગણાતું નથી અને મેહ પ્રકૃતિરૂપ નારીરૂપે પણ ગણાતું નથી તેથી તેને નપુંસક કથવામાં આવે છે. મન કરતાં અત્યંત સૂમ આત્મા પોતે મનને સ્વાયત્ત કરવા પ્રયત્નશીલ થાય છે અને મોહ પ્રકૃતિ ખરેખર મનને પોતાના વશમાં કરવા ધારે છે. મેહ પ્રકૃતિ અને આત્મા બનેનું મનના પ્રદેશરૂપ પાણિપત મેદાનમાં યુદ્ધ થયા કરે છે. તેને આંખો મીંચી અન્તરમાં અવલકવાથી ખ્યાલ આવી શકે છે. જ્ઞાની આત્મા ખરેખર મેહ પ્રકૃતિને હઠાવી મનને સ્વાયત્ત કરે છે જ્યારે આત્મા મનને સ્વાયત્ત કરી મિક્ષ પ્રાપ્ત કરી શકે છે તે કાયયોગને સ્વાયત્ત કરી સ્વાજ્ઞા વડે તેની પાસે કર્તવ્યકાર્યો કરાવે એમાં કશું આશ્ચર્ય જણાતું નથી.
ગી–આત્મજ્ઞાની આત્મજ્ઞાનવડે મન-વાણું અને કાયયેગને સમગ્ર અવધી આત્માના વશમાં ત્રણને રાખે છે અને આત્મા અર્થાત્ પિતાની આજ્ઞાવડે મન-વાણું અને કાયાને પ્રવર્તાવીને ત્રિભુવનપતિ બની શકે છે. જે આત્મા પિતાની આજ્ઞા પ્રમાણે મન-વચન અને કાયાને પ્રવર્તાવી શકે છે તે વિશ્વમાં પરમાત્મારૂપ બને છે અને વિશ્વનું શ્રેયઃ કરવા સમર્થ બને છે. જ્ઞાની આ પ્રમાણે અન્તમાં નિશ્ચય કરીને મમાયત્ત સારી . ખરેખર શરીર મારા તાબામાં છે અને વર્તતેજ મનાશાવા મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ પ્રવેદે છે. જે જે કર્તવ્ય કાર્યોમાં મન-વાણી અને કાયાને પ્રવર્તાવવા ધારે તેઓમાં તે પ્રવતિ શકે તેમ છે. શ્રીમદ્ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એકવીસમી પાટ ઉપર બેસીને નીચેથી સર્વ પાટે કાઢી નંખાવીને પિતાના શરીરને આકાશમાં પ્રાણાયામબલે સ્થિર રાખ્યું હતું. દેવધિ શંકરાચાર્ય પ્રાણાયામબલે પાલખીને કાચા તાંતણે બાંધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારે પ્રાપ્ત કર્યા હતા. તેઓએ મનને વશમાં કરી પેશાબદ્વારા સુવર્ણ સિદ્ધિ કરવાની મનઃસંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વર્તે છે ત્યારે
For Private And Personal Use Only