SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩૮ મનુષ્ય હારે અવશ્ય કર્તવ્ય કાર્યને કરવું જોઈએ. એજ હારે ધર્મ છે. અવતરણ–કર્તવ્યકાર્ય કરવાની ચેગઠષ્ટિએ કુંચી બતાવવામાં આવે છે. ममायत्तं शरीरं वै, वर्तते च ममाज्ञया॥ स्वायत्तीकृत्य चित्तं तत्, कार्य कर्तव्यमात्मना॥६५॥ શબ્દાર્થ કર્મયેગીએ એમ મનમાં ચિંતવવું કે આ હારૂં શરીર ખરેખર મહારા તાબામાં છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ મનમાં દઢ નિશ્ચય કરીને સ્વવશમાં મન કરી પિતે કર્તવ્યકાર્ય કરવું જોઈએ. વિવેચન–જે જે શરીરદ્વારા કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે તે આત્માવડે કરી શકાય છે માટે આત્માના તાબામાં શરીર છે અને તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કથવામાં કવચિત કિચૈિત્ શાસ્ત્રીય વિરેાધ આવતું નથી. મન વાણી અને કાયા એ ત્રણ ખરેખર આત્માને કાર્ય કરવાનાં સાધન છે. કાયાના કરતાં વાણની સૂ ક્ષમતા છે અને વાણી કરતાં મનની સૂફમતા છે. જે સૂક્રમ વસ્તુ હોય છે તે સ્થલ વસ્તુપર પિતાની સત્તા જમાવે છે. પૃથ્વી કરતાં જલ સૂમ છે તે તે પૃથ્વીને ખેંચી શકે છે તેના કરતાં વાયુ સૂક્ષ્મ હેય છે તે તે પૃથ્વી જલ–અગ્નિ કરતાં વિશેષ શક્તિ કરી શકે છે. મન વાણી અને કાયામાં પણ મન સૂક્ષમ છે તેથી તે વાણી અને કાયાને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા પ્રયત્ન કરે છે. મનના કરતાં અત્યંત સૂક્ષમ ચૈતન્ય પદાર્થ આત્મા છે તેથી તેની સત્તા મન ઉપર વર્તે છે તેથી મન વાણી અને કાયા એ ત્રણ યોગને આત્મા પિતાના તાબામાં રાખી શકે છે અને તેઓને પોતાની રૂચિ પ્રમાણે પ્રવર્તાવી શકે છે. કાયા વાણી કરતાં જેમ મન સૂક્ષ્મ છે તેમ કેધ-માન-માયા અને લેભ પ્રકૃતિ પણ સૂક્ષ્મ છે તેથી તે પ્રકૃતિ પિતાના બળ વડે મનના ઉપર સત્તા જમાવવા પ્રયત્નશીલ થાય છે અને જ્ઞાની થયેલે આત્મા પોતે સ્વબળવડે મેહ પ્રકૃતિની સાથે યુદ્ધ કરીને મનને મેહ પ્રકૃતિના વશમાં ન થવા દેવા પ્રયત્નશીલ થાય છે અને મેહ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy