________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬ શ્રદ્ધાને પ્રબલ પ્રવાહ વહે છે ત્યાં સુધી કાર્ય કરવાને ઉત્સાહ અખંડ રહે છે અને તેથી અશક્ય કાર્યો પણ શક્ય થઈ શકે છે. આત્મશ્રદ્ધા એજ કર્તવ્ય કાર્યના પાયારૂપ છે માટે તેને નાશ થતાં કર્તવ્યકાર્યોને મહેલ તુટી પડે છે. અતએ આત્મશ્રદ્ધાથી હે મનુષ્ય તું પ્રતિદિન કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી કર અને ભાવિભાવ જે થાય તેની ચિન્તા કર્યા વિના પ્રવૃત્તિ કર.
આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી, આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; આત્મશ્રદ્ધાથકી ન્નતિ થાય છે, જગમાં દેખાશે ભવ્ય ભારી. આ.૧ આત્મશ્રદ્ધાથી ધાર્યું જગમાં થતું, મેરૂ કંપાવતાં તેહ ચાલે, કૃષ્ણકેશી અરે માનવી સહુ કરે, સ્વાંગણે સિંહને શીધ્ર પાળે. આ.૨ કોટિ વિદને પડે સૂર્ય સ્વામે અડે, હૈયે શ્રદ્ધાવડે કાર્ય કરવું; કાર્ય કરતાં થકાં સ્વાધિકારે ખરે, શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું. આ.૩ મરજી થઈ અરે કાર્ય કર તાહારું, નામ ને રૂપને મેહ ત્યાગી; ફર્જ હારી અદા કર અને માનવી, આત્મશ્રદ્ધાબળે નિત્ય જાગી. આ.૪ કાર્ય કરવાતણ શક્તિ આત્મમાં, અન્ય આશ્રય ચહે કેમ ભોળા; આત્મશ્રદ્ધા ત્યજે તે કરી શું શકે? મારતા જે અરે ગપ ગેળા. આ.૫ કથની મીઠી અને કડવી કરણ અરે, સ્વાધિકારે કરે કાર્ય બોધી; આત્મશક્તિવડે સિદ્ધિ સાંપડે, કાર્ય કર યુક્તિ સત્યધી. આ.૬ ઉઠ જાગ્રત્ બની કાર્ય કર યત્નથી, બેલ બીજું કશું ના મુખેથી; બુદ્ધિસાગર સદા કાર્ય કર તારાં, મેહનાં દ્વાર રૂંધી હવેથી. આ.૭
સ્વાધિકારે કર્તવ્ય કાર્ય કરવાની આત્મશ્રદ્ધામાં સદા તત્પર રહી હે મનુષ્ય! તું હારાં કાર્ય કર્યા કર. દેશનતિ, સમાજેન્નતિ, જન્મભૂમિ પ્રગતિ વગેરે જે જે સ્વપર પ્રગતિ કરવાની હાર શીર્ષપર ફરજ આવી પડી હોય તે સર્વે અદા કર !!! કર્તવ્યકાર્ય કરવામાં સદા તત્પર રહી અન્ય લાલચમાં ફસાઈ ના જા અને સ્વકર્તવ્યકાર્ય દિશા ભૂલી વિદિશામાં ગમન ન કર ! નંદરાજાના રાક્ષસ પ્રધાને સ્વકર્તવ્યકાર્ય કરવામાં જે જે બાબતોને ઉપયોગ રાખવાને હતો તેમાં અંશમાત્ર અનુપગ થવાથી ચાણક્ય પ્રધાને સ્વશક્તિ દ્વારા નન્દનું
For Private And Personal Use Only