SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૭ સંપૂર્ણાત્સાહથી તે વિજય પામતા કર્ત્તબ્યકાર્યો કરવાની પ્રવૃત્તિયામાં અગ્રણી અને છે. વસ્તુપાલે અને તેજપાલે એક એ સામાન્ય શુદ્ધ કાર્ય કરવામાં પરિપૂર્ણ કાર્ય કરી વિજય મેળળ્યે તેથી તેને પશ્ચાત્ અન્ય કાર્યો કરવાની સરલતા થઇ અને તેઓએ આજીજી પાસે બાદશાહી લશ્કરને ખાળ્યું. આથી સહેજે અવષેાધાય છે કે એક કાર્ય પ્રથમ આરંભીને પૂર્ણ કરતાં અન્ય કાર્યાં કરવાની શક્તિયાને આત્મામાં પ્રગટાવી શકાય છે. વિદ્યા પ્રાપ્ત કરવાના કાર્યમાં-યુદ્ધકાર્યપ્રવૃત્તિમાંવ્યાપાર પ્રવૃત્તિમાં આદિ અનેક જાતની પ્રવૃત્તિયેામાં પ્રથમ જે જે પ્રવૃત્તિયેા આરંભી હોય તેને સમાપ્ત કરવાથી આત્મશક્તિ વધે છે; અને તેથી અન્ય પ્રવૃત્તિયેના માર્યાં ખુલ્લાં થઈ જાય છે. ગ્લાસ્ટનમાં પ્રથમ કાર્ય કરવાની શક્તિયા અલ્પ પ્રમાણમાં હતી પરન્તુ પશ્ચાત્ પ્રત્યેક કાર્ય સમાપ્તિથી તેના આત્મામાં તત્ તત્ કાર્ય કરવાની અનેક શક્તિયેાવડે તે અલંકૃત થયેા. ઇટાલીની સ્વતંત્ર રાજ્ય પ્રગતિ કરનાર મેઝીનીએ કાર્યસમાપ્તિની સ્થિરપ્રજ્ઞાવડે સ્વશિષ્યોને કર્તવ્યકાર્યની રિસમાપ્તિ કરવામાં ઉત્તેજિત કર્યાં, તેથી તેણે સ્વદેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેનું જીવનચરિત વાંચવાથી અખાધાઇ શકે છે. કોઈપણ કાર્યના પ્રારંભ કરી તેની પરિસમાપ્તિ ન કરવામાં આવે તે પશ્ચાત્ અન્ય જે જે કાર્યો કરવામાં આવે તેમાં પણ પૂર્વોક્ત દોષ ઉપસ્થિત થાય છે અને તેથી કાર્ય કરવાની અવ્યવસ્થિતતા આદિ અનેક દોષ ઉદ્ભવે છે. અતએવ જે કાર્ય આરંભ્યું હોય તેની પરિસમાપ્તિ કરી અન્ય ઉચ્ચકાર્યો કરવા માટે આત્માની ચાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ. પ્રારભિત કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસની આવશ્યકતા છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે સતતાભ્યાસ સેવવા જોઇએ, એમ ખાસ હૃદયમાં ધારી રાખવું જોઇએ. વિક્રમરાજાએ સતત યુદ્ધ કાર્યપ્રવૃત્તિવડે શક લેાકાને હરાવ્યા અને સ્વરાજ્યની સ્થાપના કરી. સતત વકાર્યાભ્યાસથી કાર્ય કરવામાં પાણિામિક અને કાર્મણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માર્ગો ખુદ્દા થાય છે. શ્રી દેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ ચાગે અનેક પ્રારંભિત પ્રકરણા વગેરેની રચના કરી. શ્રીહરિભદ્રસૂરિએ સતતાભ્યાસયેાગે ચૌદસે ચુમાલીશ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy