SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર૬ આખા યુરોપ દેશને ધુજાવ્યું. વિદ્યાકાર્ય, જ્ઞાનકાર્ય, ક્ષાત્રકર્મ, વ્યાપાર કર્મ, કૃષિકલાવિજ્ઞાન, સેવાપ્રવૃત્તિ વગેરેમાં પ્રથમ પ્રવૃત્તિ કરતાં કરતાં પશ્ચાત્ તે તે શકિતની વૃદ્ધિ થાય છે. અને તે તે કાર્યની અમુક અંશે સમાપ્તિ કરતાં પશ્ચાત્ ઝટિતિ કાર્ય કરવાની આત્મશક્તિ વધે છે. શારીરિક શકિતવૃદ્ધિમાં પ્રથમ પ્રોફેસર રામમૂતિ સેડે આત્મત્સાહવડે લઘુ લઘુ શારીરિક શક્તિવર્ધક કાર્યોમાં વિજય પામવા લાગે. અધુના તે પોતાના હૃદય પર એક હસ્તીને ઉભે રાખે છે તે પ્રથમ પ્રાણવાયુને ઘુંટી કુંભક કરી છાતીને ફૂલાવે છે અને પશ્ચાત્ પિતાની છાતી પર પાટીયું રાખે છે અને તે પર હસ્તી ચઢીને છાતી પર પગ મૂકી ઉભું રહે છે. લેહની મેટ સાંકળોને તે ખભાથી શરીરપર રાખીને પ્રાણવાયુથી છાતી ફુલાવીને તેડી નાંખે છે. તે સાંકળને ત્રણ ચાર આંચકા મારી તેડી દે છે. રામમૂર્તિ પિતાના શરીર પર બસે મણના આશરે પત્થર વગેરે ભાર મૂકી શકે છે. તે સ્વકીય બે હાથમાં બે મેટને ચાલતી ઝાલીને ઉભી રાખી શકે છે. રામમૂતિ બ્રહ્મચર્ય પાળે છે તેણે ચારે ખંડમાં પ્રવાસ કરીને અનેક ખેલે કરી ઘણું ચાંદો મેળવ્યા છે. ફક્ત તે વનસ્પતિને આહાર કરે છે. એમ સિદ્ધપુરમાં તેણે રૂબરૂમાં કહ્યું હતું. તેણે સતતાભ્યાસ મેગે આત્માની શક્તિની વૃદ્ધિ કરી છે. તેથી તે શારીરિક શક્તિના ખેલે કરવામાં એક્કો ગણાય છે. આ વિશ્વમાં જે કાર્યો કરવામાં આવે છે તેમાં પ્રથમ આત્માની મન્દશક્તિ પ્રવર્તે છે અને પશ્ચાત્ આત્માની શક્તિ ખરેખર તે તે કાર્યો કરતાં વૃદ્ધિ પામે છે મન, વચન અને કાયાવડે કર્તવ્ય કાર્ય કરતાં કર્તવ્ય કાર્ય કરવાની પિતાનામાં અર્જુનની પેઠે વૃદ્ધિ પામે છે. શક્તિ જે જે કર્ત કાર્યોને પ્રારંભ કરવામાં આવે છે તે કાર્યોની સમાપ્તિ કરવામાં ખાસ લક્ષ્ય દેવું જોઈએ. કર્તવ્ય કાર્ય કોઈપણ પ્રારંવ્યું તે સ્વાધિકાર તે સમાપ્ત કરવા માટે તત્કાર્ય પ્રવૃત્તિ આદરવી જોઈએ અને પ્રતિદિન ઉત્સાહ અને કાર્યસયમથી કાર્ય કરવાની આત્મશક્તિની વૃદ્ધિ કરવી જોઈએ. અમુક વિદ્યાર્થી અમુક મેટ્રીક વા બી. એ. ની પરીક્ષામાં પાસ થાય છે તે તેને આગળ વધવામાં આત્મશક્તિ વધે છે અને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy