SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨૪ આ મહાવટવૃક્ષ સુકાઈ જવું મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે. મહાજને દરરોજ વટવૃક્ષ શુષ્ક થાઓ કે જેથી અમે મુક્ત થઈએ એવા દઢ સંકલ્પપૂર્વક નિઃશ્વાસ નાખે; તેથી છ માસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું. તેને સુકાયેલું દેખી મહાજન આનન્દ પામ્યું અને ચીનના શાહની પાસે ગમન કરી સર્વ બનેલું વૃત્તાંત જણાવ્યું. ચીનના શાહે કચ્યું કે તમારા બાદશાહને હવે ઉત્તર મળે. શાહના વચનને ભાવ મહાજનથી અવબોધાયે નહિ તેથી મહાજને પુનઃ કસ્યું કે અમારા બાદશાહ ઉપર પત્ર લખી આપે. ચીનના શાહે કહ્યું કે એક એકેન્દ્રિય વટવૃક્ષના ઉપર તમારા અશુભ સંક૯પની એટલી બધી અસર થઈ કે તેથી છમાસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું ! તે જે બાદશાહ પિતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સંતાપે છે, મહાત્માઓના, સાધુએના શાપ લે છે, કરેડે મનુષ્યની આંતરડી કકળાવે છે અને કરે મનુષ્યની હાય લે છે તેની પ્રજા દરાજ બાદશાહને મરણ પામવા વગેરેની બદદુવા આપે છે તે બાદશાહે હિન્દુસ્થાનમાં ક્યાંથી દીર્ધકાલપર્યન્ત રાજ્ય કરી શકે વારૂ ? અલબત ન કરી શકે. કડે મનુષ્યની હાય લેઈને કોણ મનુષ્ય દીર્ધકાલપર્યન્ત જીવી શકે? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકારનાં દુઃખે આપે છે તેથી તેઓ અલ્પાયુ ભેળવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી મેક. સુત્ર हाय गरीबकी, कबु न खाली जाय; मुवे ढोर के चामसे, लोहा भस्म ઝાઇ, ઇત્યાદિથી અવધવું કે અશુભસંકલ્પથી અશુભ થાય છે અને શુભ સંકલ્પથી શુભ થાય છે. અશુભ દઢ સંકલ્પબળે તેજેલેશ્યા પ્રકટે છે અને શુભદઢ સંકલ્પબળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રના પ્રત્યાહારનું સ્વરૂપ વાંચવાથી સંકલ્પનું બળ કેવું છે? તે અવબોધાશે. ચાણકયે સંકલ્પની દઢતાવડે પટણાની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડ અને નન્દને નાશ કર્યો તે ઇતિહાસથી અજ્ઞાત નથી. સંકલ્પની દઢતાવડે અનેક કાર્યો કરી શકાય છે. ઈત્યાદિ સંકલ્પબળ અવબોધીને સંકલ્પની દઢતાવડે પ્રારંભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનના અનુભવમાં ઉંડા ઉતરીને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy