________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
મુનિએ શ્રાવકને પુછયું, તમારો પુત્ર મૃત્યુ પામે તેથી તમને કેમ શેક નથી થતું? શ્રાવકે પ્રત્યુત્તર આપ્યો કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય ન્યવહાર-કર્તવ્ય ધર્મ છે તે પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યન્ત મેં ધર્મ બજા, તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપાયો મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગયે તે આત્મા અમર છે, તેણે દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમાં અન્ય દેહ-વસ્ત્રને કર્માનુસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રને વા મારા સ્વાર્થને મારે શેક ન કરવું જોઈએ. જે બનવાગ્ય હોય છે તે બને છે તે સ્થિતિના અધીન સર્વે છે એ નિશ્ચય અવબોધ્યા પશ્ચાત્ આત્મારૂપ સૂર્યની ચોતરફ શેકરૂપ વાદળને
શા માટે છવરાવવું જોઈએ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને મુનિ પ્રદ પામ્યા અને સભ્યને બોધ થશે. કર્તવ્ય કાર્યો બજાવતાં છે જે બાદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિશ્ચદ્રને પાઠ ભજવનાર નાટકીયે સ્વમનમાં શેકાતુર થતા નથી કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણું નથી એવી તેના મનની સ્થિતિથી તે કર્તવ્યકર્મમાં વ્યામેહ પામતો નથી, તેથી તે શેકાધીન બની શકતો નથી; તદ્વનું પ્રત્યેક મનુષ્ય આ સંસારરૂપ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વેષે ભજવવા જોઈએ, પરંતુ તેમાં પતે તે નટ નાગરનીપેઠે ત્યારે છે એ અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શોક, અનુત્સાહ અને દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું સ્થૂલદષ્ટિથી દેખાય તે પણ અન્તમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદ્ધ કરવામાં મારે સત્યાનન્દ માનવે જોઈએ. કેઈ કર્મના ઉદયથી વા અન્ય કારણોથી કાર્યસિદ્ધિ ન થાય છે તેથી કર્તવ્યફર્જ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શક ન કર જોઈએ. શક્તિને કર્તવ્યકર્મમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે
For Private And Personal Use Only