SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૧પ કર્યો. પિતાનું કર્તવ્ય બજાવવું એજ સ્વજીવન છે અન્યથા તે મૃત્યુ છે એમ પ્રબોધવાની સાથે આર્યાવર્તના મનુષ્યમાં કર્તવ્યકાર્ય કરતાં અનેક શેકાદિક કારણ છતાં શેક નહિ ઉપજશે ત્યારે તેઓ આર્યાવર્તની અને સ્વસ્વ આત્માની પ્રગતિ કરી શકશે. ચાહે ગમે તે જાતને દેશને વા ધર્મને મનુષ્ય હેય પરતું કર્તવ્યફર્જ એજ સ્વજીવન છે એમ પ્રબંધી કાર્યપ્રવૃત્તિમાં કઈ જાતનો શેક નહિ કરે ત્યારે તે કર્મયેગના દુર્ગમ માર્ગમાંથી પસાર થઈ ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકશે. કર્તવ્ય કાર્ય પ્રદેશથી અંશમાત્ર ચલાયમાન ન થવું એજ સ્વકર્તવ્ય છે. એક વખત દરિયામાં એક આગટને આગ લાગી. આગબોટમાં એક પિતા હતા તેણે પિતાના પુત્રને તુતકપર રહેવાની આજ્ઞા કરી. તુતકપર આગ લાગી પરંતુ તેને પુત્ર ત્યાંજ સ્થિર ઉભે રહી પિતાની આજ્ઞાનિર્દિષ્ટ સ્વકર્તવ્યફર્જથી ત્યાં ને ત્યાં સ્થિર રહ્યા. આગમાં તે બળી ભસ્મીભૂત થઈ ગયે પણ ત્યાંથી અંશમાત્ર ચલાયમાન થયે નહિ. તદ્વત્ પ્રત્યેક મનુષ્ય કૃત્યાકૃત્ય વિવેક અને પ્રમાણિકતાયુક્ત ઉત્તમ વ્યવહારથી કાર્ય કરવાં, પરંતુ કાર્યસિદ્ધિ ન થતાં લાભ ન મળતાં અને વિદને આવતાં શેક ન કરવું જોઈએ. જે બનવાનું હોય છે તે બન્યા કરે છે તેમાં હે ચેતન ! ત્યારે શેક ન કરે જેઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યની ફર્જ અદા કરવામાં સ્વધર્મ માનવે જોઈએ. વધનિય છે: સ્વધર્મમાં નાશ થાય તે તે શ્રેષ્ઠ છે તેથી આતત્કાન્તિના માર્ગથી ભ્રષ્ટ થવાતું નથી અને અન્ય ભવમાં આત્મત્કાન્તિને અનુકમ સદા પ્રવડ્યા કરે છે. વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સ્વકર્તવ્ય એ સ્વધર્મ છે અને તેથી મન, વાણી અને કાચાની ક્રિયાઓની ફર્જ ખરેખરી રીતે બનાવાય છે. શેક કરવાથી આત્માની શક્તિ પર આઘાત થાય છે અને ઉત્સાહ પ્રયત્નમાં મન્દતા આવવાથી સ્વયમેવ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટતા થાય છે અને તેથી કઈ જાતને લાભ પ્રાપ્ત થતું નથી. અમદાવાદમાં એક શેઠને હાલામાં હાલે પુત્ર હતે. શેઠ જૈનધર્મી હતા, ભાવનાવસ્થામાં શેઠને પુત્ર મરણ પામે, શેઠે તેનાં મૃતકાર્યો કર્યા; અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy