________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯ વ્યક્તિસંબંધી કાર્યો કરવામાં, કૃત્યાકૃત્યના વિવેક વિના એક ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી. કૃત્યાકૃત્ય વિવેક વિના રાજાને, પ્રજાને, શેઠને, નેકરને, વિદ્યાર્થિને, ગુરૂને, શિષ્યને, સ્વામીને, સેવકને, પ્રધાનને, વ્યાપારીને, ખેડુતને, ક્ષત્રિય અને બ્રાહ્મણ વગેરેને પ્રત્યેકકાર્યમાં ચાલી શકે તેમ નથી. દિલ્લીના એક બાદશાહે દીલ્લીથી લોકોને ઉચાળે ભરાવી અહમદનગરમાં વસાવાની ગાંડાઈ કરી અને તેમાં તે અંતે ફાળે નહિ અને હાલ પણ લેકે તેને ગાંડા બાદશાહ તરીકે ઓળખે છે. કૃત્યાકૃત્ય વિવેકવિના વિશ્વમાં મહાન કાર્યો કરી શકાતાં નથી અને જે જે કાર્યો કરવામાં આવે છે તેથી વિજ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. આર્યાવર્તમાં એક વખત બ્રાહ્મણોએ શૂદ્રવર્ણને હદબાહેર તિરસ્કાર કર્યો અને તેઓની સ્થિતિ સુધારવામાં, ભણાવવામાં, કેળવણી આપવામાં અને તેઓને સુખી કરવામાં લક્ષ્ય ન દીધું તેનું ફલ તેઓને એ મળ્યું કે તેઓ અધઃપતન દશાને પામ્યા. આપણી પોતાની ફરજેને અન્યમનુષ્ય પ્રતિ કૃત્યાકૃત્ય વિવેકવડે ન બજાવીએ તે પતિતદશાને પામીએ એ ખરેખર અનુભવગમ્ય છે. કૃત્યાકૃત્ય વિવેકવડે સંસારરૂપ એક આગબેટમાં બેઠેલા ભિન્નજાતિ તથા ભિન્નભિન્નધર્મવાળા મનુષ્યએ સ્વશક્તિના અનુસારે પરસ્પર એક બીજાની પ્રગતિમાં ભાગ લેવે જોઈએ અને કેઈનું અશુભ થાય એવી મન વચન અને કાયાથી પ્રવૃત્તિ ન આદરવી જોઈએ તથા કૃત્યાકૃત્ય વિવેકપુરસર સ્વશક્તિને શુભ ઉત્તમ વ્યવહારવડે સદુપયેગ કરવો જોઈએ. સાધુઓએ ગૃહસ્થને ઉચ્ચપ્રગતિને પરિપૂર્ણ કાળજી રાખી બંધ ન દીધા તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ ગૃહસ્થ મનુષ્ય પ્રકલ્યા નહિ અને તેથી ઉચ્ચસાધુઓની ગૃહસ્થા તરફથી બેટ પુરાતી હતી તે બંધ પડી ગઈ અને તેથી ઉચ્ચજ્ઞાની સાધુઓ ઘટવા લાગ્યા અને દંભીઓ વધવા લાગ્યા. તેથી હાલ મેટાભાગે સાધુઓમાં અજ્ઞાનદશા વધી પડી છે. કોઈ મનુષ્ય અને નીચ અધમ રાખવા માટે અને પોતે ઉચ્ચ થવા માટે પ્રયત્ન કરે છે તે તે કૃત્યાકૃત્ય વિવેકથી ભ્રષ્ટ થઈ પતિત થાય છે. જેણે પોતે ઉચ્ચ થવું હોય તેણે આજુબાજુના સર્વ મનુષ્યને કૃત્યાકૃત્ય વિવેકવડે ઉચ્ચ કરવા જોઈએ કે જેથી તેની ઉચદશામાંથી
For Private And Personal Use Only