SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૨ પ્રમાણે ઉત્સાહતઃ સ્વાત્મકાર્યોને કર. તું બ્રહ્મસ્વરૂપ છે, અલખસ્વરૂપી છે, તું છેદા નથી અને ભેદા નથી. હા શુદ્ધ સ્વરૂપને તું સ્વયં ભક્તા છે. સ્વવ્યક્તિના બાહ્ય વ્યવહારાર્થે, કુટુંબાથે, સમાનાર્થે અને સંઘાર્થે જે જે એગ્ય કાર્યોને બે હાર શીર્ષ પર આવી પડે છે તેને વહન કર, ગભરાઈ ના જા-અકળાઈ ના જા. આખું જગત સામું પડે તે પણ તું આકાશની પેઠે પિતાને નિર્લેપ માની સ્વકાર્યોને કર અને ઉત્સાહથી કાર્યો કરતાં આત્માના આનન્દમાં મસ્ત થા. આત્માના આનન્દને પ્રત્યેક કાર્ય કરતાં પ્રકટાવ્યા કર. સિંઘના પ્રત્યેક અંગની સુવ્યવસ્થામાં ભાગ લે અને સંઘની અનન્તવર્તુલતા કરવામાં આવતા મંત્રને તેમાં ડુંક. વિશ્વવતિ આર્યસંઘની પ્રગતિમાં હારી પ્રગતિ અવધ !!! સર્વમય ત્યારે આત્મા છે એવું માની સંઘાદિ કાર્યો કરવામાં સ્વફને બોધી જાગ્રત થા. ઉઠ અને કાર્ય કરવામાં લાગ. ખાદ્યપદાર્થોની પ્રાપ્તિ માટે ઈર્ષો દ્વેષાદિ દોષે નસેવતાં સાત્વિક ગુણેને સેવી બાહ્યકર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહે અને વિશ્વવતિ સર્વ મનુષ્યને જગાડ કે જેથી મ્હારું કર્તવ્ય તે અદા કર્યું ગણાય. હે ચેતનજી ! તારા શીર્ષપર અનેક વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની જવાબદારી છે તેને મોહનિદ્રાને ત્યાગ કરીને સમજ અને તે જવાબદારી પૂર્ણ કરવા કાર્યપ્રવૃત્તિ પ્રારંભવા માટે ઉઠ અને આલસ્યને કરે ગાઉ દૂર ધકેલી દે કે જેથી તે પુરૂષાર્થ ફેરવીને પુરૂષની ગણતરીમાં ગણાય. મેહનિદ્રાના અધીન થઈ ઉંઘવામાં ચેતનજી ! તમને કશે ફાયદો થવાનું નથી. વિશ્વમાં પ્રગતિમાં પશ્ચાતું રહ્યા તે તમારી અને તમારા આશ્રિતની અધઃપતન દશા થવામાં સ્વયં કારણુંભૂત કરશે. ચેતનજી હને વારંવાર જ્ઞાનગુરૂ કર્થ છે કે તું મેહનિદ્રને ત્યાગ કર અને સ્વાત્મધથી જાગ્રત્ થા તે વાત હવે ધ્યાનમાં લે અને કર્તવ્ય કાર્યો કરવામાં અપ્રમત્ત બની ઉઠ. ગ્રીસે જ્યારે પિતાને ઓળખવાની શિક્ષાને ત્યાગ કર્યો ત્યારથી તેનીઅધઃપતન દશા થઈ આર્યાવર્ત પણ જ્યારથી સ્વામશક્તિને ઓળખી શક્યું નહિ અને મેહનિદ્રામાં સ્વાત્મશક્તિોને દરૂપગ કર્યો ત્યારથી તે વ્યષ્ટિ અને સમષ્ટિની પર For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy