SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ ગીઓ બેઠા હતા તે અત્ર સ્વપરદર્શનના મહાત્માઓ, રાજાઓ વગેરેના નામેથી જણાવી મેહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પ્રબેધવામાં આવે છે. આ લેકની ઉપરના શ્લેકમાં ભૂતકાળ, વર્તમાનકાલ અને ભવિષ્યમાં હું અનુક્રમે મેં શું કર્યું, શું કરું છું અને શું કરીશ ઈત્યાદિને વિચાર કરી કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું જણાવ્યું તે આત્મબંધથી જાગ્રત્ થયા વિના બની શકે તેમ નથી અને આત્મબોધથી જાગ્રત થયા વિના કદાપિ ઉત્સાહથી સ્વયેગ્ય કાર્યોને કરી શકાય તેમ નથી. અશોક અને સંપ્રતિરાજાને જ્યારે તેના ગુરૂઓએ જાગ્રત્ કર્યા ત્યારે તેઓએ જગમાં હિતાવહ કાર્યો કરવાને પ્રારંભ કર્યો. શ્રીશ્રેણિકરાજાને શ્રી મહાવીર પ્રભુએ આત્મબંધને ઉપદેશ આપી મોહનિદ્રા ટાળી ત્યારે તે ધર્મપ્રભાવના એગ્ય કાર્યો કરવાને શક્તિમાન થયે. મહાવીર પ્રભુએ ગૌતમાદિ એકાદશ વિદ્વાન બ્રાહ્મણને મેહનિદ્રા ત્યાગવાને ઉપદેશ આપી આત્મબોધતા જાગ્રત્ કર્યા ત્યારે તેઓએ શ્રીમહાવીરપ્રભુના તીર્થસ્થાપનના કાર્યમાં આત્મભોગ આપે અને જગતને મેહ-પાપ વગેરેને ટાળી ઉદ્ધાર થયે. શ્રીકૃષ્ણ અનેક મનુષ્યને ચારિત્રમાર્ગમાં જાગ્રત્ કરવાને અને રહેવાને સાહાચ્ય આપી હતી. ઉપર્યુક્ત હિતપ્રદકાર્યો કરવામાં મહનિદ્રા ટળે છે તે જ પ્રવૃત્તિ થઈ શકે છે માટે ઉપર્યુક્ત સ્થળોમાં રહી પ્રથમ મોહનિદ્રા ટળે એવા ઉપાયે સેવવા. મેહનિદ્રા ટળ્યા વિના અંતમાં રહેલા ચેતનજી જાગ્રત્ થઈ શકતા નથી. આ વિશ્વવતિઓ પર મેહનિદ્રારૂપ મહાવરણ છે, તેથી સિંહસમાન શૂરાજીવે પણ મેહનિદ્રાના ઘેનમાં ગાંડા થઈ ગરીબડા બની ગયા છે. મોહનિદ્રાનું જોર ટાળવાને માટે આત્મજ્ઞાની ગુરૂનાં ચરણકમલમાં મૂંગસમાન બની જવાની જરૂર છે. જેઓ જાગ્યા છે તેઓજ અન્યજીને જાગ્રત કરી શકવાને સમર્થ બને છે. જે અગ્નિની તિરૂપ બનેલે પદાર્થ હોય છે તે અચકાઠેને અગ્નિરૂપ બનાવવા સમર્થ થાય છે. જ્ઞાનીઓની પાસે રહ્યા વિના કર્મયોગી વા રાજગી બની શકાતું નથી, આત્માને જાગ્રત્ કરે એ મહા મુશ્કેલ કાર્ય છે તે પણ શ્રીસશુરૂકૃપાથી તે સહેલ કાર્ય થઈ પડે છે. મહનિદ્રાને ત્યાગ કરવાના સર્વ ઉપાયોમાં શ્રી સદગુરૂની સેવા એ મહાન ઉપાય છે તેથી મેહનિદ્રાને ત્યાગ થાય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy