SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજ, રાજ્ય, સંધ વગેરેની ઉન્નતિ કરવા માટે સર્વ મનુષ્યમાં કર્મબળ પ્રાપ્ત થાય એવાં સર્વ પ્રકારનાં શિક્ષણ દેવા જોઈએ, અને એવાં શિક્ષણની વૃદ્ધિ માટે દેશે, કોમે, સંધે, સમાજે સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. ઈંગ્લાંડ, જર્મની, અમેરિકા વગેરે દેશમાં મહા કમગીઓની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારને આત્મભોગ અપાય છે. ભારતમાં હજીતો તે બાબતનું પ્રભાત પણ બરાબર થયું નથી, માટે કર્મયોગનું બળ કે જે સર્વ જાતનું છે, તેને સર્વ જાતીય મનુષ્યોમાં પ્રકટાવવા માટે દેશ-કોમે-સમાજે-સંઘે-ધમેં ચાંપતા ઉપાયે તુર્ત લેવા જોઈએ. ભારતવર્ષમાં, જેટલા કાગના ગ્રન્થ રચાયા છે તેઓ તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવનારા છે. સ્વામી વિવેકાનજે કર્મયોગની સરવજ્ઞાનના પાયા વ્યાખ્યા કરી છે તેને તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ દર્શાપર કામના બે છે. લોકમાન્ય તિલકે કર્મયોગ રહસ્યમાં તત્વજ્ઞાસબધ નને સંબંધ દર્શાવ્યું છે. અમોએ તત્વજ્ઞાનની સાથે સંબંધ જાળવીને કર્મવેગ અને તેનું વિવેચન લખ્યું છે. પરમાત્મા-આત્મા-પુણ્ય-પાપ-સ્વર્ગ-નરક-ધ-મેક્ષ-સુખ-દુઃખ ઈત્યાદિની સાથે કર્મયોગને નિકટનો સંબંધ છે. જીવ-અછવ-પુણ્ય-પાપ-આસ્રવ સંવર-નિર્જરા બંધ અને મોક્ષ-પુનર્જન્મ–અષ્ટ પ્રકારના કર્મની વ્યાખ્યા, પ્રાર ધ્ધા દિ કર્મની વ્યાખ્યા, શુભગ, અશુભ ગ, શુભપગ, અશુપયોગ, શુપગ વગેરેની સાથે સંબંધ ધરાવીને કર્મયોગનું વિવેચન કરવામાં આવ્યું છે, પરમાત્મભક્તિ, જ્ઞાન, સેવા વગેરેની સાથે કર્મયોગને સંબંધ દર્શા બે છે. નિષ્કામભાવ અને સકામભાવના જ્ઞાન સાથે કર્મવેગના કર્તવ્યોને સંબંધ દર્શાવ્યો છે. પરમાત્માને અને આત્માને તથા કમને વિવેક કરાવીને તત્વજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપસહ કર્તવ્ય કર્મોની દિશા દર્શાવવામાં આવી છે. ગુણસ્થાનકોની સાથે અનુકુળ સંબંધ સંરક્ષીને કર્મયોગની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશભક્ત લોકમાન્ય શ્રીયુત તિલકે અદ્વૈત તત્વજ્ઞાન અને સાંખ્ય તરવરૂપ વૈદિક તત્તની સાથે સંબંધ જાળવીને ભગવદ્ગીતાનું વિવેચન કર્યું છે. જન તત્વજ્ઞાન અને વૈદિક તત્વજ્ઞાનની તુલના કરવાને પ્રસંગ અને નથી, તે પણ જે તવોના જ્ઞાનની સાથે કર્મયોગને સંબંધ જળવ્યો છે તે જન તત્ત્વજ્ઞાનના નામે ઓળખાય છે અને જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંત પરિ. પૂર્ણ સત્ય છે. તેની સાથે કર્મવેગને સંબંધ બરાબર બંધ બેસતા છે. સર્વે આત્માઓ સ્વાત્માની ઉન્નતિ માટે કર્તવ્ય કર્મોને આચરી શકે છે, જન તત્વજ્ઞાન, જન તો એ વસ્તુતઃ એકલી જૈનમના તર નથી, પણ સકલ વિશ્વનાં તરવે છે. જે માને તેનાં તત્ત્વ છે. પરમાત્મા જેમ સર્વના છે તેમ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy