________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
વિચાર કરીને ગામમાંથી એક બિલાડીનું બચ્ચું લાવીને ત્યાં મૂક. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉ મ્યાઉ કરતું ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉં કરતું ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું. મહાત્માને તેના ઉપર દયા આવી. આર્યાવતમાં દયાએ સદાકાલને માટે આર્યોના હૃદયમાં વાસ કર્યો છે તે પશ્ચાત્ તે મહામાના હદયમાં હોય એમાં તે આશ્ચર્યજ શું? સંન્યાસી મહાત્માને પિતાના આત્મા કરતાં બીલાડીના બચ્ચાની ખાતર દયા કરવી તેની હૃદયમાં ચિન્તા પેઠી તેથી પિતાના ભકતની પાસે બિલાડીના બચ્ચાને દુધ પાવાની ગોઠવણ કરાવવી પડી. મહાત્માના ભક્ત પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દુધ લાવવા લાગ્યા પરંતુ ગૃહસ્થ ભક્તોના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કોઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા તેથી મહાત્મા અને બિલાડીના બચ્ચાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી સુધા સહન કરી શકતા હતા અને કોઈને કંઈ પણ કહેતા નહોતા. પરંતુ બિલાડીનું બચ્ચું તે મ્યાઉ મ્યાઉ કરી આખી ગુફા ગજવવા લાગ્યું અને મહાત્માના ધ્યાનમાં વિક્ષેપ પાડીને મહાત્માનું ધ્યેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણી અસર કરી તેથી તે સેહ સેહને જાપ વિસ્મરીને મ્યાઉ મ્યાઉને જાપ સુણવા લાગ્યા. નિઃસ્પૃહતાથી જગને તૃણવત્ ગણનારા મહાત્મા હવે સ્વપુત્રાર્થે પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાને દુધપાનાર્થે લેઓની આગળ કરવા લાગ્યા. લેકે પણ ઘણા દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કથવા લાગ્યા કે મહાત્માજી! આવી પ્રવૃત્તિ કરતાં એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત છે કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મુકે તે આજુબાજુના પ્રદેશમાં ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગૌમાતાનાં સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભક્તની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાંધી. ગાયની
For Private And Personal Use Only