________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૧
મને મારાં કરેલાં વિચારશૂન્ય કૃત્યે અને પાપનું ફલ મળવુંજ જેઈએ. મેં આ જગમાં જન્મ ધારણ કરીને કાંઈ પણ આત્માનું સાર્થક્ય કર્યું નહિ તેથી ઈશ્વર ચકિત થશે. હું વ્યર્થ આબે અને વ્યર્થ જાઉં છું. મારાં પાપકર્મોને પશ્ચાત્તાપ કરવાથી કશું પણ ફળ મળવાનું નથી કારણ કે અનેક અરે ! હજારે નીચકર્મોથી મારે આત્મા મલીન થયા છે. મને ચાર દિવસથી જ્વર આવતું હતું પણ હવે આવતું નથી. હું જ્યાં જ્યાં દષ્ટિ નાખું છું ત્યાં ત્યાં ઈશ્વરજ દચર થાય છે તેના સિવાય કાંઈ પણ નજરે પડતું નથી. મારા નેકર ચાકર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી હવે કાંઈ પણ ફળ નથી. ધિકાર છે, આ લેભ અને માયાજાલને કે જેથી મારી કેવી ગતિ થશે તેને મને ખ્યાલજ આવ્યું નહિ. મારી કમર તૂટી ગઈ છે, પગ અશક્ત થઈ ગયા છે, મારામાં હાલવા ચાલવાની અને બેલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ લઈનેજ દિવસ પૂરા કરું છું. મેં ઘેર પાપ કરેલાં છે તેને માટે ઈશ્વર શું દંડ આપશે તે તેને જ માલુમ. મારા મૃત્યુ પશ્ચાત્ મારા સિન્યની વ્યવસ્થા મારા પુત્રને કરવાની છે. હું ઈશ્વરને સાક્ષી રાખીને બધે મેગ્ય અધિકાર મારા વારસેને આપું છું. અજીમશાહ મારી પાસે છે અને તેના ઉપર મારે અતિશય પ્રેમ હતો. તેના પ્રાણને નાશ મેં કર્યો નથી અને તેથી તે બાબતને અપયશ મારા શીર્ષપર નથી. હું સંસારને છોડી જાઉં છું અને તને તારા શાહજાદાને અને તારી માતાને ઈશ્વરના રક્ષણ તળે મૂકી જાઉં છું. તે તમારું રક્ષણ કરે ! અંતકાલની યાતનાઓ અને દુઃખ એકાએકથી ચડિયાતાં માલુમ પડે છે. બહાદુરશાહ જ્યાં હતે ત્યાંજ છે પણ તેને પુત્ર હિંદુસ્થાનમાં આવ્યું છે, બેદારબદ્ધ ગુજરાતમાં છે, હેતઉલનિશાએ આજ સુધી કઈ વખત દુઃખ જોયું નથી તેથી દુઃખમાં અતિશય ડૂબી ગઈ છે. ઉદયપુરી બેગમે ઘણું કામ કર્યું છે અને તે મારાં દુઃખથી દુઃખી થાય છે તથા તેની ઈચ્છા મારી સાથેજ જવાની છે, પણ જે ભાવમાં હશે તે બનશે. જે તારી સાથે કઈ કુટુંબી કે દરબારી લેક ખરાબ વર્તન ચલાવે છે તેઓની સાથે સામા નહિ થતાં પિતાનું કામ કાઢી લેવાને માટે સભ્યતાપૂર્વક
For Private And Personal Use Only