________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦ રાજાને પ્રતિબોધ દીધો. રાજાને પણ પૂર્વે કરેલા નટી સંબંધી અશુભવિચારે પ્રતિ તિરસ્કાર છુટ અને આત્મશુદ્ધભાવના ભાવી કેવલજ્ઞાન પામે. આ ઉપરથી ભૂતકાળમાં શું શું કર્યું તેની યાદી કરીને વિવેકદ્રષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે. ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામાં સતત સાહા આપે છે. ભૂતવ્યતિક એગ્યકાલે સ્મરણ કરવાથી હૃદયને અનેક બેધક વિચારેને ખેરાક પૂરે પાડી આત્મગુણભાવનાને પ્રગતિમાન કરે છે. ઓરંગજેબનાં કન્યા અઢારમા શતકના ભારતના ઇતિહાસની ભયંકર ક્ષુબ્ધાવસ્થામાં મુખ્ય સ્થાને છે તે જ કૃત્યને ઘટક જ્યારે પિતાની અસ્તદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વકૃત્યેની સ્મૃતિ તેનામાં નિર્વેદાંશ ઉત્પન્ન કરવાને સફલ થતાં તેજ ઘટનાના સ્મરણથી મનુષ્યના હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચર્યકારક પ્રગતિની અગ્નિજ્વાલા ઉત્પન્ન થાય છે. ઔરંગજેબે રાજ્યાસન પ્રાપ્ત કરવાને અને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપંચે અને કૂર ઉપાયે કામે લગાડ્યા પણ છેવટે તેની ઉત્તરાવસ્થામાં તેના પુત્રે તેને કારાગૃહમાં પ્રક્ષેપી સ્વપિતૃ પ્રવૃત્તિવત્ દિલ્હીનું સિંહાસન લીધું. તેણે કારાગૃહમાંથી પોતાના પુત્રો ઉપર કેટલાએક પત્રો લખ્યા છે તેના ઉપરથી ઉક્ત વાત સ્પષ્ટ રીતે જણાય છે, કે તે ભૂતકાળનાં કૃત્યેનું સ્મરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છે. આ વખતે તેની ઉમર એંસી વર્ષ ઉપરાંતની હતી. આ પત્રો પિકી કેટલાક અમે નીચે આપીએ છીએ.
પ્રથમ પત્ર. શાહજાદા કામબ! મારા ગળાના હાર! જ્યારે ઈશ્વરની આજ્ઞા અને ઈરછા પ્રમાણે મારામાં કૈવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચારને ઉપદેશ આપે હતું પણ તે તેના ઉપર અપક્વ બુદ્ધિ હવાથી જોઈએ તેટલું ધ્યાન આપ્યું નહિ. તેમજ આવશ્યક શિક્ષા ગ્રહણ કરી નહિ. અધુના મારી જીવનયાત્રા પૂરી થવાનું નગારું જેરથી વાગી રહ્યું છે. મેં મારું જીવન વ્યર્થ ગુમાવ્યું છે તેથી મારું હૃદય દગ્ધ થાય છે પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? હવે તે
For Private And Personal Use Only