SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૬ અનેક પ્રકારની ભૂલ થાય છે અને તેથી પ્રમાદ દશા વધતી જાય છે તેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ર દેખીને સામા પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂનાં પટ્ટાવલીનાં પત્રાનુસારે કથાય છે કે સૂફમેપગ દષ્ટિ વિના ખરતરગચ્છ અને તપાગચ્છ સ્વ પરની હાનિ કરવા પરસ્પર સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યો હતો, તેથી વૈષ્ણવ મતના વલ્લભાચાર્યે લાખ જૈન વણિકોને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂમે પગદષ્ટિથી કર્તવ્ય કાર્યની શુભાશુભ બાજુઓ અવલોકી શકાય છે. શ્રીવિજયસેનસૂરિના સમયમાં યતિમાં પરસ્પર અભિમાન દ્વેષ, ઈર્ષા, નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયે અને એ વિશેધના પરિણામે યતિની આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પંન્યાસ શ્રી સત્યવિજયજીથી તે સમયમાં નીકળેલ સંવેગ પક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને તેથી જેનોમાં યતિ અને સંગી સાધુઓની જે સ્થિતિ થઈ છે તે સર્વ જેનો જાણી શકે છે. ભારતમાં જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂમે પગદષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા ઉપાયે સંબધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પોતાની નેંધપેથીમાં લખે છે કે હિન્દુસ્થાનના રાજાઓ આલસુ છે. તેઓ સ્વદેશ ઈતિહાસ જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્થાનના લોકો શારીરિક બળમાં પશ્ચાત્ છે અને તેઓ પરસ્પર એકબીજાને સાહાચ્ય આપીને સ્વાસ્તિત્વ રક્ષણ કરવું એવા વિચારેવડે સંઘબલ ઉત્પન્ન કરવાની શક્તિથી અજાણ છે. બાબરને મત ખરેખર કેટલેક અંશે સત્ય છે. સૂફપગ દષ્ટિ વિના હિન્દુસ્થાનના લકેએ કુસંપ, વૈર, આલસ્ય,અનુદ્યમ–જશેખ-અભિમાન–ઈર્ષા–નિન્દા અને શેધક બુદ્ધિ વિના ઘણું ખોયું છે. હિન્દુસ્થાનના લેકોએ સૂમે પગદષ્ટિથી સ્વ કર્તવ્ય કાર્યોને નિરીક્યાં નહિ તેથી તેઓની ભૂલે તેઓને દેખાઈ નહિ, અને સ્વ કર્તવ્ય કાર્યોમાં થતા દોષે વારવાને તેઓ ઉદ્યમી બન્યા નહિ, તેથી તેઓ સ્વભૂલનું ફલ ભગવે છે અને જ્યાં સુધી તેઓ કર્તવ્ય કાર્યોને સૂમો પગ દષ્ટિથી નહિ દેખશે ત્યાં સુધી તેઓની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણે પૂર્વક આધ્યાત્મિક દેને ટાળવા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy