________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
દ્રના પર પેટાનાં જેવાં હોવાથી તેના નાશે કંઈ આત્મારૂપ સાગરને નાશ થતો નથી એમ અવબોધીને મનની ઉપર કઈ પણ જાતના ભયની અસર થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઈ પુષ્પગે યશ કીતિ અને પાપો દયે અપકીર્તિ વગેરે થાય છે, પરંતુ આત્મામાં નામરૂપ ન હોવાથી તે બનેથી ભય પામવાનું કઈ કારણ નથી. કર્મ એ વસ્તુતઃ આત્મા નથી અને કર્મથી ભય પામવો એ આત્માને ધર્મ નથી; અતએ કર્મ સંબંધે ઉઠેલ નામરૂપ પ્રપંચાદિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શું આકાશ કેઈનાથી બીવે છે? ના. તેમ હારું પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનન્દરૂપ છે તે લ્હારે શા માટે બીવું જોઈએ. હારું નિર્ભય સ્વરૂપ છે. હારા આત્માના એક પ્રદેશને કઈ નાશ કરે એ કઈ જડ પદાર્થ નથી અને જે આત્મા છે તે સ્વાત્મા સમાન છે. તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ, જરા અને મૃત્યુની કલ્પનાને ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવ જોઈએ. જે જે વસ્તુઓ નષ્ટ થાય છે તે તે વસ્તુઓ આત્મા નથી એવો પરિપકવ દઢ અનુભવ કરીને આભાનું નિત્યરૂપ અનુભવવું જોઈએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપ આત્માને માની પ્રવર્તવું જોઈએ. તથા ભયની પનોતીને પગતળે કચરી નાખવી જોઈએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખંડ છે, અછેદ્ય છે, અભેદ્ય છે અને નિર્ભય છે એ એકવાર અનુભવ આવતાં માયા પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સ્વસ્વરૂપનું જ્ઞાન કરીને કર્મના દોષે છતીને જિન બને છે. જેઓ દ્રવ્યથી જિન હોય છે તેઓ ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાહ્ય વિશ્વપર જય મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવું અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાની ઉચ્ચ શ્રેણિપર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યો કરતે કરતે આપે છે. નામરૂપના સંબંધે મેહની વૃત્તિનું અન્તમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાને મુખ્ય પાય છે. આવી રીતે જિન થવાની કમણિપર આરેહવું હોય તે આત્માને નિત્ય અને નિર્ભયરૂપ અનુભવી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. આત્માને નિત્ય નિર્ભયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિને આત્મજ્ઞાનમાં
For Private And Personal Use Only