________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિસંગભાવનાથી નિસંગ બને છે. આત્મજ્ઞાની કરે મનુષ્યના સમાગમમાં આવતાં છતાં આત્માની નિઃસંગભાવનાથી નિઃસંગ રહી શકે છે અને તેથી જગની અશુભ અસર તેના પર થતી નથી. શુભાશુભને મનની સાથે સંગ માનવાથી મનના ઉપર ઘણી અસર થાય છે અને તેથી મનુષ્ય જીવતાં છતાં પણ મૃતકના જે બની નિરાનન્દમય બની જાય છે. અગ્નિથી સર્વને નાશ થાય છે પણ જે અગ્નિને સમગ ઉપયોગ કરી જાણે છે તે અગ્નિને સ્વાયત્ત કરી શકે છે અને તેનાથી નાશ પામતે નથી, તદ્વત્ વિશ્વવતિ સર્વ વસ્તુઓના સંબંધમાં બાહ્યતઃ આવવા છતાં અન્તર્થી નિસંગ રહેતાં બાહ્ય વસ્તુઓથી મન વગેરેની હાનિ કરી શકાતી નથી. જલમાં અનેક મનુષ્ય ડુબી મરણ પામે છે પરંતુ જે જલને ઉપગ કરી જાણે છે અને જલને તાબામાં લઈ તેનાથી અનેક કાર્યો કરી શકે છે તે કંઈ જલથી નષ્ટ થતું નથી, ઉલટું આત્મપ્રગતિથી ઉચ્ચ બને છે. સુખપ્રદ વાયુને ઉપગ કરીને તેને વાપરવાથી શરીરાદિકને નાશ થતો નથી પરંતુ શરીરદિને ઉપગ્રહ થાય છે. વાયુને સંગ થવા માત્રથી જે તેને ઉપયોગ કરી જાણવામાં આવે છે તે શરીરાદિકને હાનિ પહોંચતી નથી તદ્વત અનેક બાહ્યપદાર્થો હોય તો પણ તેથી આત્માને શું? આકાશમાં અનન્ત પદાર્થો રહ્યા છતાં જેમ આકાશને કેઈ જાતની હાનિ પહોંચતી નથી તેમ આત્માની સાથે બાહ્ય શરીરે અનેક પદાર્થોનો સંબંધ થાય તો પણ તે પિતાના નથી એવો એકવાર નિશ્ચય થયા પશ્ચાત્ તે પદાર્થોને બાહ્યતઃ સંગ હોવા છતાં આત્મા નિઃસંગ રહે છે. સ્કૂલભદ્ર મુનિવરે એકવાર નિશ્ચય કરી લીધું કે આત્માના શુદ્ધાનન્દાદિક ગુણેમાં જ્ઞાનમસ્તીથી રમવું એ બ્રહ્મચર્ય છે પશ્ચાત્ તે કેશા વેશ્યાને ત્યાં રહ્યા પણ અનેક પ્રકારની રસવતી જમ્યા છતાં કોઈ પણ પ્રકારની મિથુનેચ્છાની વૃત્તિ થઈ નહિ. જડપદાર્થોથી દૂર ભાગી ભાગીને
ક્યાં જઈ શકવામાં આવશે? જ્યાં જવાનું થશે ત્યાં બાહ્યપુદ્ગલેને તે સંબંધ થવાને જ તેથી સંબંધમાં આવ્યા વિના તે છૂટકે થવાને નથી. બાહ્યપદાર્થોના સંબંધમાં રહ્યા છતાં બાહ્યપદાર્થોના સંગથી આ ત્મામાં શુભાશુભભાવના પ્રગટે નહિ એવી નિઃસંગદશા પ્રાપ્ત કરવાની જરૂર
For Private And Personal Use Only