________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭ બની લોકેને શુભકાર્યમાં પ્રવર્તાવ.
વિવેચન-મનુષ્ય! આત્મન ! ખરેખર તવ વાસ્તવિક શુભવ્યવહાર પ્રવૃત્તિ એ છે કે વ્યવહારથી શુભક કરીને લેકેને કાર્યમાં પ્રવર્તાવવા. આદર્શ પુરૂષ થયા વિના કદાપિ લોકોના પર પિતાના વર્તનની અસર થતી નથી. “ગુવતુ મૈનદાહથાના રણરતુ શિયા:” ગુરૂઓ મનવ્યાખ્યાનીઓ હોય છે અને છિન સંશવાળા શિષ્ય બને છે. આ વાક્ય કથવાને સાર એ છે કે શુભકાર્ય કરનારા મનુષ્ય એક અક્ષર બોલ્યા વિના અન્ય લોકોને પોતાના અનુયાયી બનાવી શકે છે. વાળ કત મg અને રહેણ સાત દૃger ને વિચાર કરવાથી પ્રબોધાશે કે સારી યુક્તિવડે શુભકાર્યો કરીને આદર્શપુરૂષ બની શકાય છે. જે મનુષ્ય જે પ્રમાણે વદે છે તે પ્રમાણે વત નથી તે મિથ્યાપ્રલાપી છે. કાયર નિર્વીર્ય મનુષ્યનું હૃદય ખરેખર તેના મુખમાં છે અને કર્મચાગીઓનું હૃદય તેની પ્રવૃત્તિમાં છે. અશુભકાર્યો–પાપકાર્યો કરવાથી કદાપિ આદર્શ પુરૂષ બનવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. પાપકર્મો-અનીતિકર્મો કરવાથી આત્માની સર્વ શુભશક્તિને દુરૂપયેગ થાય છે, અને તેથી સ્વાત્માને અને વિશ્વને અનેક પ્રકારની હાનિ થાય છે; અએવ અશુભકાર્યો કરવાને તે સંકલ્પ માત્ર પણ ન ઉત્પન્ન થ જોઈએ. સ્વનું અને પરનું અશુભ વિચારવું એ ચંડાલના સમાન કૃત્ય છે. અએવ અશુભ વિચાર અને અશુભ કાર્યોને પ્રાણાતે પણ ન કરવાં જોઈએ. આ વિશ્વમાં અશુભ પાપમય વિચારે અને અશુભકાર્યોથી મનુષ્ય પોતાની મેળે પિતાનું જેટલું અશુભ કરે છે તેટલું તેઓનું અન્ય કોઈ કરી શકતા નથી. એક સરોવરમાં પત્થર નાંખવાથી અનેક કુંડાલાં તીર પર્યન્ત થાય છે તેમ આ વિશ્વમાં એક અશુભવિચાર વા એક અશુભકાર્ય કરતાં તેની સર્વ વિશ્વપર છેડી ઘણી અસર થયા વિના રહેતી નથી. તારા મારત એક શબ્દ કયાં સુધી પહોંચી શકે છે તેને વિચાર કરીને એક અશુભ વિચારની હાનિ માટે વિચાર કરવામાં આવશે તે પ્રબોધાશે કે શબ્દ કરતાં વિચાર સૂક્ષ્મ અને બલવાનું છે તેની સારી વા ખોટી અસર ખરેખર પિતાના પર તથા વિશ્વ ઉપર અત્યંત થાય છે માટે અને
For Private And Personal Use Only