SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૧ સંગે કયા કયા છે અને ક્ષેત્રકલાનુસાર ક્યા ક્યા છે તેને વિવેક કરીને સુખપ્રદ સંગે જેમાં છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુ પાલ અને તેજપાલ એ બે બંધુઓએ દુઃખપ્રદ સંગે અને સુખપ્રદ સંગને વર્તમાનકાલ અને ક્ષેત્ર સંબંધે વિચાર કરીને તેઓ ધૂળકામાં વાઘેલાના રાજ્યમાં ગયા અને સુખપ્રદ સંગેની અનુકુલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વસ્તુપાલ અને તેજપાલે આબુજી, સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યાં છે. તેઓએ અનેક યુદ્ધમાં નેતા બનીને જૈન ક્ષત્રિયવીરની શોભાને પ્રકાશિત કરી હતી. વસ્તુપાલે સાડીબાર યાત્રા, સંઘ કાઢીને કરી હતી. વીરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જૈનકમના ઇતિહાસની સાથે વસ્તુ પાલ અને તેજપાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલ અને તેજપાલે સુખદુઃખપ્રદ સંવેગોને વિચાર કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિ આરંભી હતી તેથી તેઓ સુખી થયા. કુમારપાલરાજાએ સુખપ્રદ અને દુઃખપ્રદ સંયેગોને વિચાર કરીને રાજ્યગાદી પર બેસવાને નિશ્ચય કરી રાજ્યલગામ હાથમાં લીધી અને દુઃખપ્રદ સંયોગને દૂર કરી ગુર્જર દેશનું સમ્યક્ પરિપાલન કર્યું. ઈંગ્લાંડના રાજા રીચર્ડે સુખદુઃખપ્રદ સંગેને વિચાર કરીને રાજ્યકાર્યપ્રવૃત્તિ સેવી હતી. સુખદુઃખપ્રદ કયા કયા સંગે છે તેને પરિપૂર્ણ જે મનુષ્ય વિચાર કરતા નથી તે મનુષ્ય દુઃખપ્રદ સંયોગેને હટાવી સુખપ્રદ સંગોને પ્રાપ્ત કરી શકતું નથી. આર્યાવર્તમાં લગભગ બેહજાર વર્ષથી સુખ દુખપ્રદ સંયોગને જાણવાની અને તેને વિચાર કરવાની આની બુદ્ધિમાં મન્દતા આવી ત્યારથી તેઓની કર્મપ્રગતિમાં, વિદ્યાકર્મપ્રગતિમાં, વશ્યકર્મપ્રગતિમાં અને શુદ્ધકર્મપ્રગતિમાં હાનિ આવી પહોંચી, તેથી તેઓ સ્વદેશેન્નતિ કરી શક્યા નહિ અને પરદેશીઓની સ્વારીઓથી કચરાઈ અધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુષ્ય હોય પરંતુ જ્યારે તેઓ સુખદુઃખપ્રદ સંગે કયા કયા ક્ષેત્રકાલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ દુઃખથી તપ્ત બને છે. રેટ પણ તેનાં પાસાં બદલીને રોકવામાં નથી આવતે તે તે બળી જાય છે તેમ મનુષ્ય પણ પિતાની સુખદુઃખપ્રદ સંગબાજુઓને વિચાર કરીને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy