SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૪ સુન્નત હેત સબકી” એવું જે કવિએ કચ્યું છે તે અક્ષરેઅક્ષર સત્ય છે. મુસલમાનોની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ લુંટી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અલ્પષ, હાનિ અને મહાલાભ, મહામની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદષ્ટિથી કરી હતી તે તેના દષ્ટિબિદુથી ગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના સંગેને વિચાર કરીને રાજ્યસ્થાપન વ્યવસ્થાપૂર્વક યુદ્ધપ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિતપરથી સહેજે અવબોધાય છે. શિવાજીએ જંગલી પહાડી માવલને રાજ્યતંત્ર વ્યવસ્થાપૂર્વક સિનિક બનાવ્યા તેમાં તેની હોંશિયારી હતી. ઔરંગજેબ જેવા સર્વકલાતંત્ર કુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાઓથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પછામાં ફસાવું પડયું હતું તે પણ તે દ્રવ્ય ક્ષેત્રકાલભાવને અને આત્મશક્તિને જ્ઞાતા હેવાથી છૂટી શો અને હિન્દુરાજ્ય સ્થાપન કરી શક્યો. શિવાજીએ સાનુકુલ સંગેની સાથે પ્રતિકુલ સંયેગે જાણી લીધા હતા તેથી તેણે સાનુકુલ સાહાટ્યક મેળવવાને કેવા ઉપાયે લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિકુલ સંગેને સાનુકુલ કરવામાં તેણે કેવા કેવા ઉપાયો લીધા હતા તે અનુભવગમ્ય કરવાગ્યા છે. આત્મશક્તિને ખ્યાલ તથા દ્રવ્ય ક્ષેત્રાદિકને ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ સ્વરાજ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર ક્ષેત્રકાલાનુસારે એગ્ય કરી હતી. પ્રતાપસિંહરાણાને કઈ મોટા હિન્દુરાજ્યની સાહાચ્ય નહોતી. કેટલાક હિન્દુ આર્યરાજાઓ તે પ્રતાપરાણાની વિરૂદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની ન્યૂનતા હતી અને મહારાષ્ટ્ર કરતાં બાદશાહને મેવાડ પાસે હતું તેથી તેઓના તરફથી ઘણા હુમલાઓ વેઠવાને પ્રતાપરાણાને પ્રસંગ મ હતું. શિવાજીની ચુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી હતી તે તેણે જે સ્વરાજ્યસંરક્ષા કરી હતી તેના કરતાં વિશેષ પ્રકારે કરી શકત એમ અવબેથાય છે. પ્રતાપરાણાનું કલંકરહિત કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જે તે સમયના રાજપુતેમાં તત્સમયની યુદ્ધનીતિ પ્રવતી હોત તે તેઓ શિવાજીના કરતાં દેશસંસ્થામાં વિશેષ ભાગ્યશાલી બની શકત. રજ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy